આ સૌથી મોટી મસ્જીદમાં સઝદા કરશે PM મોદી
દુબઇ, 16 ઓગસ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાના બે દિવસના પ્રવાસ માટે યૂએઇ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અબુ ધાબી જશે અને અત્રે તેઓ સૌથી મોટી મસ્જીદ શેખ જાયદ મસ્જીદની પણ મુલાકાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમની છબી પૂર્વમાં એક વિવાદિત હિંદુ નેતાની રહી છે, તેમના દ્વારા આ મસ્જીદની મુલાકાત પર સૌની નજરો ટકેલી છે. વડાપ્રધાન છેલ્લા 34 વર્ષોમાં યૂએઇની મુલાકાત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. આ પહેલા વર્ષ 1981માં ઇંદિરા ગાંધીએ યૂએઇની મુલાકાત લીધી હતી. યૂએઇમાં લગભગ 26 લાખ ભારતીયો વસવાટ કરે છે.

પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી અત્રેની વિશ્વ પ્રસિદ્ધ શેખ જાયદ મસ્જીદમાં સજદા કરશે. એક નજર કરીએ આ મસ્જીદ સાથે જોડાયેલ કેટલીક ખાત વાતો પર.
- શેખ જાયદ મસ્જીદને દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જીદ બતાવવામાં આવે છે.
- આ મસ્જીદને યૂએઇના સ્વર્ગીય રાષ્ટ્રપતિ શેખ જાયદ બિન સુલ્તાન અલ નાહયાનને બનાવડાવી હતી.
- વર્ષ 1996માં તેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું અને તે 2007માં બનીને તૈયાર થઇ.
- આ મસ્જીદ લગભગ 12 હેક્ટર અથવા તો 30 એકરના એરિયામાં બનેલી છે.
- નિર્માણમાં ઇટલી, જર્મની, મોરક્કો, પાકિસ્તાન, તુર્કી, મલેશિયા, ઇરાન, ચીન, યૂનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ, ગ્રીસ અને યૂએઇનના શિલ્પકારો સામેલ રહ્યા.
- 3,000થી વધારે મજદૂરો અને 38 પ્રસિદ્ધ કંપનીઓએ તેના નિર્માણમાં મદદ કરી.
- આ મસ્જીદના નિર્માણમાં પત્થરો, સોનુ, અને અન્ય બહુમૂલ્ય પત્થરો ઉપરાંત ક્રિસ્ટલ અને સેરેમિકાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.
- તેને ઇટલીની કંપની ઇંપ્રેગિલોએ બનાવી છે.
- આ મસ્જીદમાં હાથવણાટથી તૈયાર કરવામાં આવેલ દુનિયાનું સૌથી મોટુ કાલીન છે, જેને ઇરાનમાં વણવામાં આવ્યું છે.
- તેની પર બેસીને એકવારમાં 40 હજાર લોકો પ્રાર્થના કરી શકે છે.
- મસ્જીદમાં લાગેલા ઝુમ્મર જર્મનીથી આવેલા છે, જેમાં લાખોની માત્રામાં ક્રિસ્સલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
- મસ્જીદમાં ભગવાન અથવા અલ્લાહના 99 નામો કિબિલા પર લખેલા છે.
શું છે એજેંડા
બે દિવસીય પ્રવાસમાં વડાપ્રધાન માત્ર બિજનેસ મીટિંગ કરશે, બલકે ભારતીય લોકો સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાનનો એજેંડા બંને દેશોની વચ્ચે વ્યાવસાયિક સંબંધોને સુધારવાનો છે. એ ઉપરાંત આતંકી સંગઠન આઇએઆઇએસના કારણે ક્ષેત્રમાં ઉપજેલ સંકટ પર પણ વાતચીત થઇ શકે છે.
દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં 17 ઓગસ્ટના રોજ એક ગ્રેંડ રિસેપ્શન થશે જેના 50 હજાર ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સ્ટેડિયમની બહાર મોટી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે, જેથી બહાર ઉભેલા લોકો વડાપ્રધાન મોદીને સાંભળી શકે.
કાર્યક્રમ દરમિયાન વિસ્તારનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગરમીથી રાહત મેળવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા








Click it and Unblock the Notifications
