નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
લંડન, 17 મે : લાંબા સમય સુધી કાર્ય કરો અને સ્વસ્થ રહો. આ નવો હેલ્થ મંત્ર તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ બાદ જાણવા મળ્યો છે. એનક નવા અભ્યાસના તારણમાં એવું જણાવવામાં આવ્યું છે કે નિવૃત્તિ વ્યક્તિના માનસિક અને શારીરિક બંને પ્રકારના સ્વાસ્થ્ય પર સમય જતા ગંભીર અસર કરે છે.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક અફેર્સ અને ધ એજ એન્ડેવર ફેલોશિપ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે નિવૃત્તિ બાદ ટૂંકા ગાળામાં તમારા સ્વાસ્થ્ય પર નજીવી અથવા સામાન્ય અસર પડે છે. અભ્યાસ જણાવે છે કે મધ્યમથી લાંબો સમયગાળો પસાર થાય ત્યાર બાદ પ્રવૃત્ત નહીં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર મોટા અને નુકસાનકારક ફેરફાર થાય છે.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
અભ્યાસમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે સરકારે લોકો લાંબા સમય સુધી કામ કરી શકે તેની વ્યવસ્થા ગોઠવવી જોઇએ. આ સાથે સરકારે પેન્શનની વય મર્યાદામાં પણ વધારો કરવો જોઇએ.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
આ અભ્યાસનું નામ "વર્ક લોન્ગર, લાઇવ હેલ્ધીયર : ધ રિલેશનશિપ બિટ્વીનઇકોનોમિક એક્ટિવિટી, હેલ્થ એન્ડ ગવર્નમેન્ટ પોલિસી"માં જણાવ્યા અનુસાર નિવૃત્તિમાં ઘટાડાથી વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય આકલનમાં 40 ટકા જેવો ફાયદો અનુભવાય છે. વહેલી નિવૃત્તિને કારણે 40 ટકા લોકોમાં ડિપ્રેશન અને 60 ટકા લોકોમાં શારીરિક સ્થિતિનું એક ડાયગ્નોસ્ટિક કરાવવું પડે એવી શક્યતાઓ રહે છે.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
આ મુદ્દે ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક અફેર્સના એડિટોરિયલ અને પ્રોગ્રામ ડાયરેક્ટર ફિલિપ બૂથ જણાવે છે કે "હવે લોકોનો એક સામાન્ય મત ઉભો થયો છે કે સરકારે પેન્સનની વય મર્યાદામાં વધારો કરવો જોઇએ. સરકારે પણ આ દિશામાં મક્કમ પગલાં ભરવા જોઇએ અને લેબર માર્કેટનું નિયંત્રણ હળવું બનાવવું જોઇએ. લાંબા સમય સુધી કામ કરતા રહેવું એ આર્થિક જરૂરિયાતની સાથે લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવામાં પણ મદદરૂપ બને છે."

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
છેલ્લા 50 વર્ષોમાં બ્રિટનમાં વધુ વયની વ્યક્તિઓના રોજગારી દરમાં ખાસ્સો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 60થી 64 વર્ષની વયના કાર્યરત વ્યક્તિઓનો દર 80 ટકાથી ઘટીને 50 ટકા પર આવી પહોંચ્યો છે. જ્યારે 65થી 69 વર્ષની વયે કામ કરતી વ્યક્તિનો દર 30 ટકાથી ઘટીને 15 ટકા પર આવી પહોંચ્યો છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
