બાંગ્લાદેશમાં હિંસા માટે ISI જવાબદાર, શેખ હસીનાના દીકરાએ પુરાવા સાથે જણાવ્યુ કારણ, કહ્યુ - મા પાછી આવશે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જૉયે હવે ખુલ્લેઆમ પાકિસ્તાન વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેણે પાકિસ્તાન પર બાંગ્લાદેશમાં અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેણે એવા પુરાવાઓ તરફ ઈશારો કર્યો છે જે દર્શાવે છે કે આ અશાંતિમાં પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) સામેલ છે.
જૉયે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પરિસ્થિતિગત પુરાવાના આધારે મને વિશ્વાસ છે કે પાકિસ્તાનની આઈએસઆઈ આમાં સામેલ છે. બાંગ્લાદેશમાં જે રીતે હુમલા અને વિરોધ થયા તે ખૂબ જ સમન્વયિત હતા.

આ સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતા અને સોશિયલ મીડિયા દ્વારા પરિસ્થિતિને ઉશ્કેરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ શક્ય પગલાં લીધાં, પરંતુ આ લોકો તેને તોડફોડ કરવાનો અને પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનો પ્રયાસ કરતા રહ્યા.
જૉયે આરોપ લગાવ્યો છે કે તોફાનીઓએ પોલીસ પર બંદૂકો વડે હુમલો કર્યો હતો, જે એવા હથિયાર હતા જે ફક્ત આતંકવાદી સંગઠનો અથવા વિદેશી શક્તિઓ જ આપી શકે છે. તેણે ખુલ્લેઆમ કહ્યું કે આની પાછળ આઈએસઆઈનો હાથ છે.
જૉયે કહ્યું કે લોકશાહી પુનઃસ્થાપિત થયા બાદ શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે. જો કે, તે એક સક્રિય રાજકારણી તરીકે પરત ફરશે કે નિવૃત્ત થશે તે નક્કી નથી. જોયે કહ્યું કે આ ઘટનાઓ પછી પણ અમે અમારા લોકો અને અમારી પાર્ટીના લોકોને છોડીશું નહીં.
તેમણે કહ્યું કે અવામી લીગ બાંગ્લાદેશની સૌથી મોટી અને સૌથી જૂની રાજકીય પાર્ટી છે, તેથી અમે અમારા લોકોથી દૂર જઈ શકીએ નહીં. જ્યારે લોકશાહી પુનઃસ્થાપિત થશે ત્યારે મારી માતા શેખ હસીના ચોક્કસપણે બાંગ્લાદેશ પરત ફરશે.
હકીકતમાં, અગાઉ જૉયે કહ્યું હતું કે તેની માતા બાંગ્લાદેશ પરત નહીં ફરે. પરંતુ તેના નિવેદન પર જૉયે કહ્યું કે હા, તે સાચું છે કે મેં કહ્યું હતું કે તે બાંગ્લાદેશ પરત નહીં ફરે. પરંતુ દેશભરમાં અમારા નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓ પર સતત હુમલાને પગલે છેલ્લા બે દિવસમાં ઘણું બદલાઈ ગયું છે. હવે અમે અમારા લોકોને સુરક્ષિત રાખવા માટે જે પણ શક્ય હશે તે કરીશું. અમે તેમને એકલા નહીં છોડીએ.
જૉયે તેની માતાને સુરક્ષા આપવા બદલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતને બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે આંતરરાષ્ટ્રીય અભિપ્રાય અને દબાણ બનાવવામાં મદદ કરવા વિનંતી કરી. જોયે અવામી લીગને "ભારતનો સર્વકાલીન સાથી" ગણાવ્યો અને આંતરરાષ્ટ્રીય દબાણ દ્વારા તેના નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરી.
જૉયે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો સ્થિરતા જલ્દીથી પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો બાંગ્લાદેશમાં અફઘાનિસ્તાન જેવી અરાજકતાની સ્થિતિ સર્જાઈ શકે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
