ફિલીપાઇન્સમાં પંજાબના શીખ દંપતીની ગોળી મારીને કરાઇ હત્યા, સીસીટીવીમાં કેદ થઇ ઘટના
ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં શનિવારે (25 માર્ચ)ના રોજ પંજાબના એક શીખ દંપતીની એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જેની માહિતી આજે સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુખવિંદર સિંહ (41) અને તેની પત્ની કિરણદીપ કૌર (33)ની તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને પંજાબના જલંધર જિલ્લાના ગોરૈયાના રહેવાસી હતા.

શીખ દંપતીની ગોળી મારી હત્યા
શીખ દંપતી પર ગોળીબારની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં, સુખવિન્દર શનિવારે રાત્રે કામ પરથી પરત ફર્યા બાદ તરત જ એક અજાણ્યો વ્યક્તિ મૃતક દંપતીના ઘરમાં પ્રવેશતો દેખાય છે. કિરણદીપ પર બે ગોળી મારતા પહેલા હુમલાખોરને સુખવિંદર પર અનેક ગોળી મારતો જોઈ શકાય છે. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, સુખવિંદર 19 વર્ષ પહેલા ફિલિપાઈન્સમાં સ્થાયી થયો હતો અને ફાઈનાન્સનો ધંધો કરતો હતો. તેણે ત્રણ વર્ષ પહેલા કિરણદીપ સાથે લગ્ન કર્યા હતા અને તે પાંચ મહિના પહેલા મનીલા રહેવા ગઈ હતી. સુખવિંદરના મોટા ભાઈ લખવીર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, "રવિવારથી અમે તેને વારંવાર ફોન કરી રહ્યા છીએ, પરંતુ તે જવાબ આપતો ન હતો." તે પછી મેં મારા કાકાને તેમના ઘરે આવવા કહ્યું, જ્યાં તેમણે મારા ભાઈ અને તેની પત્નીને લોહીથી લથબથ થયેલા જોવા મળે છે."












Click it and Unblock the Notifications
