લાપતા મલેશિયન વિમાનઃ ભારતમાં થઇ શકે છે 9/11 જેવો હુમલો!

નવી દિલ્હી, 16 માર્ચઃ શું લાપતા મલેશિયન વિમાન ભારત પર હુમલો કરવા માટે હાઇજેક કરવામાં આવ્યું છે? અમેરિકાના પૂર્વ ઉપ વિદેશ મંત્રી સ્ટ્રોબ ટાલ્બોટની વાત માનીએ તો મલેશિયન એરલાઇન્સની ફ્લાઇટ 370ને આતંકવાદીઓ દ્વારા એટલા માટે હાઇજેક કરવામાં આવ્યું છે, કારણ કે તેનાથી તેઓ ભારતના કોઇપણ શહેરમાં 9/11 જેવો હુમલો કરવા માગે છે. ટોલ્બોટે ટ્વીટર પર આ પ્રકારની આશંકા વ્યક્ત કરીને ભારતમાં સનસની મચાવી દીધી છે.

malaysia-airlines
ટાલ્બોટ, બિલ ક્લિંટન સરકારમાં ઉપ વિદેશ મંત્રી હતા. અત્યારે તેઓ એક રિસર્ચ સંસ્થાના બ્રુકિંગ્સ ઇંસ્ટિટ્યૂશનના પ્રમુખ છે. જેથી ભારત સરકાર તેમની વાતને ગંભીરતાથી નહીં લેવાની ભૂલ નહીં કરે. વોશિંગ્ટનમાં તેમણે એક પ્રભાવશાળી અને સૂચનાના સ્તર પર તેજ તર્રાર લોકોમાં ગણવામાં આવે છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે, ‘મલેશિયન વિમાન રહસ્યઃ વિમાનની દિશા, ઇંધણની માત્રા અને રેન્જથી એવું લાગે છે કે હાઇજેક કરનારાઓ કોઇ ભારતીય શહેર 9/11 જેવો હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં છે.'

સપ્ટેમ્બર 2011માં અલકાયદાના આતંકવાદીઓએ અમેરિકાની એરલાયન્સના વિમાનને હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારત સાથે અથડાવ્યું હતું. આ હુમલામાં અંદાજે 3 હજાર જેટલા લોકોના મોત નીપજ્યાં હતા. નોંધનીય છે કે, મલેશિયા એરલાયન્સના વિમાન છેલ્લા 8 દિવસથી લાપતા છે. 8 માર્ચે કુઆલાલંપુરથી ઉડાન ભર્યાના એક કલાક બાદ આ વિમાન રહસ્યમયી રીતે લાપતા થઇ ગયું હતું. જેમાં ચાલક દળના 12 સભ્યો ઉપરાંત 227 યાત્રીઓ સવાર હતા, જેમાં પાંચ ભારતીય, 154 ચીની અને 38 મલેશિયન નાગરીક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X