Syria Civil War : કોણ છે સિરિયન સરકારને ઘુંટણીએ પાડનાર મોહમ્મદ અલ જોલાની?
Syria Civil War : ગૃહ યુદ્ધની આગમાં સળગી રહેલા સિરિયામાં વિદ્રોહીઓએ તાનાશાહ રાષ્ટ્રપતિને હટાવીને સત્તા પર કબ્જાની જાહેરાત કરી છે.
વિદ્રોહિયોએ રાજધાની દમિશ્ક પર કબ્જો કરીને સરકારી ટીવી નેટવર્ક કબ્જે કરીને નવા શાસનની જાહેરાત કરી છે. વિદ્રોહીઓ સિરિયામાં આ લડાઈ મોહમ્મદ અલ જોલાનીના નેતૃત્વમાં લડી રહ્યાં છે.

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ બસર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને સેનાને આત્મ સમર્પણ માટે આદેશ કરાયા છે. જલ્દી સિરીયામાં નવી સત્તા જોવા મળશે.
સીરિયામં બળવાખોર જૂથ હયાત તહરિર અલ શામે સીરિયા પર કબજો કરવાની જાહેરાત કરી છે. આ સંગઠનના નેતા અબુ મોહમ્મદ અલ જોલાની પર દુનિયાભરની નજર છે.
વિદ્રોહી સંગઠન હયાત તહરીર અલ-શામ લાંબા સમયથી બશર સરકાર સામે લડી રહ્યા હતા. તે એક સમયે આતંકવાદી સંગઠન અલ કાયદાની શાખા હતી. જો કે, 2016માં આ સંગઠને અલ કાયદાથી પોતાને અલગ કરી લીધુ. આ અત્યંત કટ્ટરપંથી સંગઠન છે અને પશ્ચિમી દેશો માટે આતંકવાદી સંગઠન છે.
હયાત તહરિર અલ-શામના વડા અબુ મોહમ્મદ અલ-જોલાની એક ઇસ્લામિક નેતા છે અને પોતે આધુનિક હોવાનો દાવો કરે છે. જોલાનીએ અલ કાયદાથી અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારથી તેનો ઉદેશ્ય સીરિયામાં બશર અલ-અસદ સરકારને સત્તા પરથી દૂર કરવાનો હતો.
અબુ જોલાનીનો જન્મ 1982માં થયો છે અને સીરિયાની રાજધાની દમાસ્કસના માજેહ વિસ્તારમાં જ મોટો થયો છે. તેણે દાવો કર્યો છે કે તેના દાદાને 1967 માં ઇઝરાયેલે કબ્જો કરતા ગોલાન હાઇટ્સમાંથી ભાગી જવું પડ્યું હતું.
જોલાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે આપણે આપણા ઉદ્દેશ્યો વિશે વાત કરીએ છીએ ત્યારે અમારી ક્રાંતિનું લક્ષ્ય આ શાસનને ઉથલાવી નાખવાનું છે. તે લક્ષ્યને હાંસલ કરવા ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરવો એ અમારો અધિકાર છે.
જોલાનીએ 2016માં અલ-કાયદા સાથેના સંબંધો તોડી નાખ્યા પછી પોતાને વધુ ઉદારવાદી નેતા તરીકે રજુ કર્યા છે. યુએસ અને અન્ય પશ્ચિમી દેશો હજુ પણ HTSને આતંકવાદી સંગઠન માને છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
