પાકિસ્તાનમાં આતંકી હુમલો, 8 લોકોનાં મોત, 26 ઘાયલ
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટના કારણે 8 લોકોના મોત થયા છે, આ સાથે 26 લોકો ઘાયલ થયો છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કરતા આઠ લોકો માર્યા ગયા અને 26 અન્ય ઘાયલ થયા છે.
ચિલાસમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, બસ ગિલગિટથી રાવલપિંડી જઈ રહી હતી, ત્યારે સાંજે સાડા છ કલાકે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને બસ સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.

ડેપ્યુટી કમિશનર ચિલાસ આરિફ અહેમદે જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા આઠ લોકોમાંથી પાંચની ઓળખ અત્યાર સુધી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, 26 અન્ય લોકો ઘાયલ થયા છે, અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, બસમાં સવાર બે સૈન્ય સૈનિકો પણ મૃતકોમાં સામેલ હતા અને હુમલામાં સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનો એક જવાન ઘાયલ થયો હતો. મોટાભાગના લોકો કોહિસ્તાન, પેશાવર, ઘીઝર, ચિલાસ, રાઉન્ડુ, સ્કર્દુ, માનસેહરા અને સ્વાબી પ્રદેશોના હતા અને એક કે બે લોકો સિંધના હતા.
હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. ઘણા લોકોની હાલત ગંભીર છે, અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
પોલીસે જણાવ્યું હતું કે, હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે, અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ આ પ્રદેશમાં આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલાનો ઈતિહાસ છે.
બંદૂકધારીઓએ 2013માં ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પર્વતારોહકોના કેમ્પિંગ સાઇટ પર હુમલો કર્યો અને નવ વિદેશીઓની હત્યા કરી હતી.












Click it and Unblock the Notifications
