તાલિબાને કંધાર રેડિયો પર કબ્જો કરી વોઇસ ઓફ શરિયા નામ રાખ્યુ!
Taliban, Kandahar Taliban have captured the Kandahar radio station, Afghanistan, Afghan capital, Kabul, Kabul, Taliban renamed the Kandahar radio station, terrorist, Fear of Taliban, તાલિબાન, કંધાર તાલિબાને કંધાર રેડિયો
તાલિબાનીઓએ કંધાર શહેર પર કબજો કર્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે તાલિબાનોએ કંધાર રેડિયો સ્ટેશન કબજે કર્યું છે. શનિવારે તાલિબાનોએ આક્રમક અભિગમ અપનાવીને દક્ષિણ અફઘાનિસ્તાન પર કબજો કરવાનું શરૂ કર્યું. આ સ્થિતિમાં આશંકા છે કે આગામી 3 અઠવાડિયાથી ઓછા સમયમાં તાલિબાન સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી શકે છે. 31 ઓગસ્ટથી અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાન છોડવું પડશે અને તે પહેલા જ તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો છે. તાલિબાને કંધાર રેડિયો સ્ટેશનનું નામ બદલ્યું છે.
તાલિબાને રેડિયો સ્ટેશન કબજે કર્યું
તાલિબાને એક વીડિયો બહાર પાડ્યો છે, જેમાં એક અજાણ્યો આતંકી જાહેરાત કરી રહ્યો છે કે તેણે કંધારના મુખ્ય રેડિયો સ્ટેશનનો કબજો કર્યો છે. આ વીડિયો દ્વારા તાલિબાને જાહેરાત કરી છે કે હવેથી કંધાર રેડિયો સ્ટેશન ગીતો વગાડશે નહીં અને રેડિયો સ્ટેશનનું નામ બદલીને 'વોઇસ ઓફ શરિયા' અથવા ઇસ્લામિક કાનૂન કરી દેવામાં આવ્યું છે. તાલિબાને કહ્યું કે તમામ સ્ટાફ રેડિયો સ્ટેશનમાં હાજર છે અને હવેથી આ રેડિયો સ્ટેશન દ્વારા માત્ર કુરાનના સમાચાર, રાજકીય વિશ્લેષણ અને ઇસ્લામિક પાઠ પ્રસારિત કરવામાં આવશે. તાલિબાને સ્પષ્ટપણે કહ્યું છે કે હવે રેડિયો સ્ટેશન દ્વારા મનોરંજન ગીતો વગાડવામાં આવશે નહીં. જો કે રેડિયો સ્ટેશનમાં કામ કરતા જૂના કર્મચારીઓ કામ કરશે કે તેમની સાથે શું કરવામાં આવ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિકોમાં તાલિબાનોનો ડર
સ્થાનિક પત્રકારોએ કહ્યું છે કે તાલિબાનના ડરને કારણે મોટાભાગના કંધારના લોકોએ તાલિબાન દ્વારા પસંદ કરેલા પોશાક પહેરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે વીડિયોમાં દેખાતી વ્યક્તિએ તાલિબાનની જીત પર કંધાના લોકોને અભિનંદન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે 20 થી વધુ વર્ષ પછી રેડિયો સ્ટેશન તાલિબાનના હાથમાં આવ્યુ છે. 1996-2001 સુધી તાલિબાનોએ દેશ પર શાસન કર્યું ત્યારબાદ રેડિયો સ્ટેશન ફરી એકવાર તાલીબાનીના હાથમાં આવ્યુ છે. તે સમયે તાલિબાનોએ કંધારની બહાર વોઈસ ઓફ શરિયા નામનું રેડિયો સ્ટેશન ચલાવ્યું હતું. તમને જણાવી દઈએ કે કંધારમાં તાલિબાનની સ્થાપના કરનાર મુલ્લા મોહમ્મદ ઉમરનો જન્મ થયો હતો, જેને અમેરિકાએ બોમ્બથી ઉડાવી દીધો હતો.
તાલિબાન કાબુલ તરફ આગળ વધી રહ્યું છે
તાજેતરમાં તાલિબાનીઓએ ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ અફઘાનિસ્તાનનો મોટો ભાગ કબજે કર્યો છે. આ સાથે, દેશ પર અફઘાન સરકારનું નિયંત્રણ ખૂબ નબળું બની ગયું છે. રાજધાની કાબુલ હવે જોખમમાં છે અને હવે એ હકીકત અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તાલિબાન 31 ઓગસ્ટ પહેલા સમગ્ર દેશ પર કબજો કરી શકે છે. રિપોર્ટ અનુસાર તાલિબાનીઓ હવે રાજધાની કાબુલના 50 કિલોમીટર નજીક આવી ગયા છે અને તાલિબાનોએ રાજધાની કાબુલને ચારે બાજુથી ઘેરી લેવાનું શરૂ કરી દીધું છે. જો કે તાલિબાન લડવૈયાઓ અમેરિકી દળોની હાજરી સુધી કાબુલમાં પ્રવેશ કરશે તેવી બહુ ઓછી સંભાવના છે, પરંતુ તે નિશ્ચિત છે કે ખૂબ જ જલ્દી દેશનો અંકુશ તાલિબાનના હાથમાં આવી જવાનો છે.
ભારત દૂતાવાસમાંથી નાગરિકોને બહાર કાશે
આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ વચ્ચે કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને બહાર લઈ જવામાં આવશે. ભારત સરકારના ટોચના અધિકારીઓએ સીએનએન-ન્યૂઝ 18 ને જણાવ્યું છે કે આ મામલે ઔપચારિક જાહેરાત આગામી 24 કલાકમાં શક્ય છે. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય કર્મચારીઓએ ભારત પરત આવવા માટે તેમનું કામ પૂરું કરવા અને તેમનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું છે. ભારત સરકાર દૂતાવાસમાંથી ભારતીય અધિકારીઓને પરત લાવવાની વ્યવસ્થા પણ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય દૂતાવાસ સ્થાનિક અફઘાન સ્ટાફને સોંપવામાં આવશે. કારણ કે ભારત સરકાર ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે ભારત સરકારની ફરજ છે કે તે તેના કર્મચારીઓની સંભાળ રાખે.
અન્ય દેશોએ ભારતનો સંપર્ક કર્યો
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ મીડિયા સંસ્થાઓ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો છે, જેથી પરિસ્થિતિ ખરાબ થાય તો તેમના કર્મચારીઓને બહાર કાઢવામાં મદદ કરે. તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં તેમના હુમલાને વધુ તીવ્ર બનાવતા અમેરિકાએ તેના દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવા માટે રાજધાની કાબુલમાં આશરે 3,000 સૈનિકો મોકલવાની જાહેરાત કરી છે. બીજી તરફ બ્રિટન હિંસામાં વધારાને જોતા દેશ છોડીને જતા બ્રિટિશ નાગરિકોને મદદ કરવા માટે 600 સૈનિકો મોકલી રહ્યું છે. બલ્ખ પ્રાંતના પાટનગરની આસપાસ તાલિબાન દ્વારા વધતી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે આ સપ્તાહની શરૂઆતમાં મઝાર-એ-શરીફમાંથી કર્મચારીઓને હટાવી લીધા છે.