દુનિયાની સૌથી ખરાબ વાનગીઓમાં સામેલ કરાઈ ભારતની આ વાનગી, તમે તેને રોજ ખાઓ છો
દુનિયાભરમાંથી લોકો ભારતીય ટ્રેડિશનલ ખાણીપાણી માટે આવે છે. અહીંની ઘણી વાનગીઓ દુનિયાભરમાં ફેમસ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ એક ભારતીય વાનગીને દુનિયાની સૌથી બકવાસ 100 વાનગીઓમાં સામેલ કરાઈ છે.
ભારતનું નામ ખાણીપીણી માટે વારંવાર લેવામાં આવે છે. અહીં વિવિધતા માત્ર પહેરવેશ અને બોલીમાં જ નહીં પરંતુ ખાણીપીણીમાં પણ જોવા મળે છે.

અહીં દરેક રાજ્ય અને શહેરની પોતાની આગવી વિશેષતા છે. આ જ કારણ છે કે લોકો અહીં માત્ર આ દેશની સુંદરતા જોવા જ નહીં પરંતુ અહીંના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા પણ ભારત આવે છે.
ભારતમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બને છે, જેને દેશ-વિદેશમાં પસંદ કરવામાં આવે છે. આટલું જ નહીં તેમના સ્વાદને કારણે ભારતીય વાનગીઓ ઘણી સૂચિમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થાય છે.
આ ક્રમમાં ફરી એકવાર એક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં વધુ એક ભારતીય વાનગીએ પોતાનું સ્થાન બનાવ્યું છે. જો કે આ યાદીમાં દુનિયાની સૌથી ખરાબ વાનગીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.
હાલમાં જ ટેસ્ટ એટલાસે વિશ્વની ટોચની 100 સૌથી ખરાબ રેટિંગવાળી ખાદ્ય વસ્તુઓની યાદી જારી કરી છે. ટેસ્ટ એટલાસ એ એક પ્રખ્યાત ઓનલાઈન ફૂડ પોર્ટલ છે જે વારંવાર વિશ્વભરમાંથી વિવિધ ફૂડ લિસ્ટ બહાર પાડે છે.
આ ક્રમમાં તાજેતરમાં જ આ ફૂડ પોર્ટલે વિશ્વના ટોચના 100 ખરાબ ખાદ્ય પદાર્થોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતના પ્રખ્યાત બટેટા રીંગણના શાકને પણ સ્થાન મળ્યું છે.
આ યાદીમાં સામેલ વાનગી આલૂ બૈંગન એક લોકપ્રિય ભારતીય ગ્રેવી વાનગી છે. ટોપ 100 યાદીમાં આ વાનગીએ 60મું સ્થાન મેળવ્યું છે. આલુ બૈંગન એક પ્રખ્યાત ભારતીય કરી છે, જે બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, આદુ-લસણની પેસ્ટ અને મસાલાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ભારતમાં આ શાકભાજીને તાજા બારીક સમારેલા લીલા ધાણાના પાનથી સજાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
