મંગળ પર જીવન ન હોવાનું આ કારણ છે, સૌથી મોટા રહસ્ય પરથી વૈજ્ઞાનિકોએ પરદો હટાવ્યો!
માનવજાત તેના ભવિષ્યને લઈને ચિંતાના ઘેરામાં છે. એક તરફ પૃથ્વીના વાતાવરણમાં આવતા ફેરફાર અને બીજી તરફ કુદરતી આફતોથી પૃથ્વીને મોટો ખતરો છે. આ તમામ બાબતો વચ્ચે વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ તરફ ઉમ્મીદની નજરે જોઈ રહ્યા છે.
માનવજાત તેના ભવિષ્યને લઈને ચિંતાના ઘેરામાં છે. એક તરફ પૃથ્વીના વાતાવરણમાં આવતા ફેરફાર અને બીજી તરફ કુદરતી આફતોથી પૃથ્વીને મોટો ખતરો છે. આ તમામ બાબતો વચ્ચે વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ તરફ ઉમ્મીદની નજરે જોઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો મંગળને લઈને એક પછી એક ખુલાસા કરી રહ્યાં છે. હવે વૈજ્ઞાનિકોને મંગળને લઈને એક મોટી સફળતા મળી છે. પૃથ્વીની જેમ મંગળ પર ક્યારેય જીવન હતું કે કેમ, તે હજુ પણ સંશોધનનો વિષય છે. પરંતુ એવું લાગે છે કે અહીં પણ આશા સમાપ્ત થઈ રહી છે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, મંગળ પર કોઈ જીવન ન હતું. એવું લાગે છે કે, એક સમયે મંગળ પર માઇક્રો-લાઇફથી આબોહવા પરિવર્તનનો એવો સમય આવ્યો હતો, જેણે લાલ ગ્રહ પર જીવન સમાપ્ત કર્યું હતું.

મંગળ પર જીવન હતું?
રહસ્યમય ગ્રહ મંગળ પર પર્સિવરેન્સ રોવર સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરી રહ્યું છે. તાજેતરમાં એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પ્રાચીન સમયમાં મંગળની સપાટી પર વાતાવરણ હોઈ શકે છે, જેણે જીવાણુઓને મદદ કરી હતી. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, મંગળ પરના પ્રાચીન સૂક્ષ્મ જીવોએ આબોહવા પરિવર્તન દ્વારા લાલ ગ્રહના વાતાવરણને ખતમ કરી નાખ્યું હશે.

મંગળ પર ક્લાઈમેટ ચેન્જ
નવું સંશોધન આશ્ચર્યજનક છે. આજે પૃથ્વી માટે જે ક્લાઈમેટ ચેન્જની વાત કરી રહ્યા છીએ, એ જ ક્લાઈમેટ ચેન્જના કારણે મંગળ પર જીવન અશક્ય બની ગયું. ક્લાઈમેટ ચેન્જને કારણે મંગળ પરના જીવનને અસર થઈ હોવાનું માનવામાં આવે છે. આ અસરને કારણે મંગળ પર આજ સુધી જીવન શક્ય બન્યું નથી. એક નવા સંશોધન મુજબ ગ્રીનહાઉસ ગેસ ઈફેક્ટને કારણે આ અસર થઈ છે.

ગ્રીન હાઉસ ગેસની અસર
નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં 10 ઓક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, મંગળના શરૂઆતના દિવસોનું વાતાવરણ લગભગ 3.7 થી 4.1 અબજ વર્ષ પહેલા જીવન માટે અનુકૂળ હતું. સામાન્ય સૂક્ષ્મજીવાણુઓ જે મિથેનનું ઉત્સર્જન કરે છે, જે હાઇડ્રોજન પર ટકી રહે છે તે લગભગ 370 મિલિયન વર્ષો પહેલા મંગળ પર વિકસ્યા હશે. આજે આ જીવાણુો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. જો કે, મંગળ માટે આ સાચું સાબિત થયું નહીં અને તેની ઉલ્ટી અસર થઈ. સંશોધન મુજબ, જો મંગળના વાતાવરણની વાત કરીએ તો અહીંથી વધુ મિથેન ઉત્સર્જિત થયો હશે.

વૈજ્ઞાનિકોએ શું કહ્યું?
ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પ્રાચીન જીવાણુઓ મંગળ પર હિમયુગ લાવવામાં મદદરૂપ બન્યા હશે. આપણે આને આબોહવા પરિવર્તનના સંકેતના પ્રથમ પુરાવા તરીકે ગણી શકીએ. કદાચ આ જ કારણસર આજે પણ મંગળ સદીઓથી ઉજ્જડ છે અને અહીં જીવનના કોઈ ચિન્હ નથી. માહિતી અનુસાર, જ્યાં મંગળ આજે ખૂબ જ ઠંડો છે, તે એક સમયે જે સ્થિતિ છે તેના કરતા વધુ ગરમ હોવો જોઈએ. કદાચ તે સમયે ત્યાં હાઇડ્રોજન વધારે હતો. આ સ્થિતિમાં સૂક્ષ્મજીવાણુઓ પાસે પુષ્કળ ખોરાકનો પુરવઠો હશે. જો કે, હવામાન પરિવર્તનના કારણે મંગળની સ્થિતિ પણ બદલાઈ ગઈ. મંગળ પર હવે જીવન નથી. જો કે, આ વિષય પર વધુ સંશોધન ચાલુ રહેશે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
