Titanic Submarine : ટાઈટેનિક પાસે ગયેલી સબમરીનમાં રહેલા તમામ લોકોના મોતની આશંકા, 96 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન
ટાઈટેનિકના કાટમાળ પાસે ગયેલી સબમરીન ગુમ થયા બાદ હવે તેમાં રહેલા લોકો જીવતા પાછા ફરે તેવી સંભાવના નહીવત છે. 96 કલાક બાદ પણ સબમરીનનો પત્તો ન લાગતા હવે સંભાવના ઘટી રહી છે.
આ સબમરીન રવિવારથી એટલાન્ટિક મહાસાગરમાં ગુમ છે અને તેમાં સવાર પાયલટ સહિત પાંચ લોકોનો કોઈ પત્તો નથી. ઓશનગેટ એક્સપ્લોરેશન કંપનીની આ ટાઇટન સબમરીનમાં માત્ર 96 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન હતો. આ સમય હવે પુરો થઈ ગયો છે.

જેમ જેમ કલાકો વીતી રહ્યા છે તેમ તેમ ટેન્શન વધી રહ્યુ છે. અહેવાલો અનુસાર, આ સબમરીનને એવી રીતે બનાવાઈ છે કે તે 24 કલાકમાં દરિયામાંથી પાછી આવી જાય છે. હવે ગુમ થયાના 4 દિવસ બાદ પણ આ સબમરીનનો કોઈ પત્તો લાગ્યો નથી.
સબમરીન બનાવનારી કંપનીના દાવા અમુસાર, આ સબમરીનમાં 4 દિવસ રહેવા પુરતી હોય છે. જો તે આ સામાન્ય સંજોગો માટે છે. સ્થિતી બગડે કે ગભરાટમાં ઓક્સિજનમાં ઘટાડો ઝડપથી થઈ શકે છે.
નિષ્ણાતો અનુસાર, જો શ્વાસ લઈ શકાય તેવી હવાને બચાવવા માટે પગલાં લેવામાં આવે તો તેને વધુ સમય ચલાવી શકાય છે.પૂર્વ રોયલ નેવી ક્લિયરન્સ ડાઇવર રે સિંકલેર અનુસાર આ સબમરીન ટાઇટેનિકના કાટમાળમાં ફસાઇ હોઈ શકે છે.
તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, અત્યાર સુધીમાં સબમરીનમાં સવાર લોકો કાર્બન ડાયોક્સાઈડના ઝેરને કારણે મૃત્યુ પામ્યા હશે. તેમને જણાવ્યું કે, સબમરીનની બેટરીમાં CO2 સ્ક્રબર્સ છે. એ ખતમ થયા હશે તો માંથી નીકળતા ઝેરી ગેસના કારણે તમામ લોકો મૃત્યુ પામ્યા હશે.
આ સિવાય ડોકટરોનું માનવુ છે કે આ સ્થિતીમાં તમામ લોકો હાયપોથર્મિયાનો શિકાર બની શકે છે અને હોશ ગુમાવી શકે છે. આવું થાય તો તે લાંબા સમય સુધી જીવી શકે પરંતુ આવી પરિસ્થિતિમાં તે લાંબો સમય નહીં ટકી શળકે અને તેમના શરીરના ભાગોને પણ મોટુ નુકસાન થશે.












Click it and Unblock the Notifications
