તુર્કીમાં શક્તિશાળી ભુકંપ બાદ આવ્યો ત્સુનામી, 4 લોકોના મોત, 120 લોકો ઘાયલ
તુર્કીમાં શુક્રવારે દેશના પશ્ચિમ કાંઠા અને ગ્રીસના કેટલાક ભાગોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો ત્યારે ચાર લોકો માર્યા ગયા હતા અને 120 લોકો ઘાયલ થયા હતા. તુર્કીના આરોગ્ય પ્રધાને આ મામલે જાણકારી આપી હતી.
તુર્કીમાં શુક્રવારે દેશના પશ્ચિમ કાંઠા અને ગ્રીસના કેટલાક ભાગોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો ત્યારે ચાર લોકો માર્યા ગયા હતા અને 120 લોકો ઘાયલ થયા હતા. તુર્કીના આરોગ્ય પ્રધાને આ મામલે જાણકારી આપી હતી. આરોગ્ય પ્રધાન ફહરેટિન કોકાએ ટ્વિટ કર્યું હતું કે દુર્ભાગ્યવશ, ભૂકંપમાં આપણા ચાર નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તથા 120 જેલા લોકો ઘાયલ થયા હતા. ભુકંપ બાદ આવેલા ત્સુનામિએ તુર્કીના દરિયાકાંઠાના રિસોર્ટ શહેર ઇઝમિરમાં મકાનોને નષ્ટ કરી દીધા હતા.
યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે 7.0 ની તીવ્રતાનો ભૂકંપ સમોસ પરના ગ્રીક શહેર કાર્લોવાસીથી 14 કિલોમીટર નોંધાયેલ છે. તુર્કીની સરકારની આપત્તિ એજન્સીએ ભૂકંપ માટે નીચી તીવ્રતા 6.6 નોંધાવી હતી જ્યારે ગ્રીસની સિસ્મોલોજિકલ એજન્સીએ જણાવ્યું હતું કે તેનું પ્રમાણ 7.7 હતું.
આ પણ વાંચો: પીએમ મોદીએ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું, તસવીરોમાં જુઓ