પાક.માં જાસૂસીના આરોપમાં 2 ભારતીયોની ધરપકડ

ઝિયો ન્યૂઝ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે બે કથિત ભારતીય નાગરિકો સહિત પાંચ વ્યક્તિઓની લાહોરમાં બે અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. ચેનલના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ભારતીય નાગરિકો પર જાસૂસી કરવાનો આરોપ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ચેનલ દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી.
સરકારી રેડિયો પાકિસ્તાને ટ્વિટર પર લખ્યું છે કે પાંચ કથિત ભારતીય જાસૂસોની પાકિસ્તાન ભારત સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે. જોકે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક જાહેરાત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાન અને ભારતની સરહદ પર સંબંધો વણસી રહ્યા છે, જ્યારથી પાકિસ્તાની આરમી દ્વારા બે ભારતીયોના શર કલમ કરવાની ઘટના ઘટી છે. જેને પગલે બંને દેશોના આંતરીક સંબંધો પણ વણસ્યા છે.












Click it and Unblock the Notifications
