Pahalgam Attack: અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
America On TRF Terrorist Organization: અમેરિકન સરકારે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (The Resistance Front) ને 'વિદેશી આતંકવાદી સંગઠન' જાહેર કર્યું છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ માહિતી આપી છે. TRFએ આ વર્ષે 22 એપ્રિલે પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી મારીને ક્રૂરતાથી હત્યા કરી હતી.

શું છે આ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ?
ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) નું એક ફ્રન્ટ સંગઠન છે અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરે છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ આતંકવાદી સંગઠનને લશ્કર-એ-તૈયબાનું ફ્રન્ટ ગણાવ્યું, જેનું મુખ્ય મથક પાકિસ્તાનમાં સ્થિત યુએન દ્વારા નિયુક્ત આતંકવાદી જૂથ છે.
TRFએ લીધી હતી પહેલગામ હુમલાની જવાબદારી
Pahalgam Attack: રુબિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે TRFને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા, આતંકવાદ સામે લડવા અને પહલગામ હુમલામાં ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. TRFએ પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેને અમેરિકન અધિકારીઓએ 2008માં લશ્કર-એ-તૌયબા દ્વારા મુંબઈ હુમલા પછી ભારતમાં નાગરિકો પર સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
Today, the US Department of State is adding The Resistance Front (TRF) as a designated Foreign Terrorist Organisation (FTO) and Specially Designated Global Terrorist (SDGT).
— ANI (@ANI) July 17, 2025
TRF, a Lashkar-e-Tayyiba (LeT) front and proxy, claimed responsibility for the April 22, 2025, Pahalgam… pic.twitter.com/LklJLIa1xr
કાશ્મીરમાં સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા
અમેરિકા દ્વારા TRFને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવાથી તેના સભ્યો પર કડક નાણાકીય અને મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવશે અને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં વૈશ્વિક ભાગીદારો સાથે વોશિંગ્ટનના સહયોગને વધુ મજબૂત બનાવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ આતંકવાદી જૂથ ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવતા અનેક હુમલાઓ સાથે પણ જોડાયેલું છે.
આ વર્ષે 22 એપ્રિલે સશસ્ત્ર આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણમાં ઘૂસીને પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલાથી સમગ્ર ભારતમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અમેરિકા સહિત ઘણા વૈશ્વિક દેશોએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી. આ આતંકવાદી હુમલા પછી તરત જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઉભું છે અને ભારતને શક્ય તમામ સહાય પૂરી પાડે છે. PM મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને કહ્યું હતું કે ભારત આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારો અને તેમને આશ્રય આપનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. આ પછી ભારતીય સેનાએ 7 મેના રોજ સવારે પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
