UK Election Result 2024 : બ્રિટનમાં ઋષિ સુનક કેમ હાર્યા? જાણો આ હારથી ભારત પર શું અસર પડશે?
UK Election Result 2024 : નરેન્દ્ર મોદીના રસ્તે હિન્દુત્વની વાતો કરનારા ઋષિ સુનકને બ્રિટનના લોકોએ જાકારો આવી દીધો છે. કહેવાઈ રહ્યું છે કે ઋષિ સુનકના કારણે તેમની પાર્ટી ખરાબ રીતે હારી છે.
ઋષિ સુનકે બ્રિટનમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. લેબર પાર્ટીના કીર સ્ટારર બ્રિટનના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. બ્રિટનમાં 650 બેઠકોમાંથી સરકાર બનાવવા માટે 326 બેઠકો મેળવવી જરૂરી છે, જે બહુમતનો આંકડો લેબર પાર્ટીએ આંકડો હાંસલ કર્યો છે.

કોઈપણ દેશની સરકાર બદલાય તો તેનો પોતાનો એજન્ડા હોય છે, બ્રિટનમાં નવી સરકારની રચના ભારતને પણ અસર કરશે.
નિષ્ણાતો અનુસાર, યુકેમાં લેબર પાર્ટીની જીતની અસર ભારત પર પડી શકે છે. હવે યુકે સાથે મુક્ત વેપાર કરારમાં વિલંબ થઈ શકે છે. આ સિવાય આઈટી અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં કામ કરતા લોકો માટે વિઝા પર પણ કડકાઈ આવી શકે છે.
ઈતિહાસ પર નજર કરીએ તો વિઝા અંગે લેબર પાર્ટીનું વલણ કડક રહ્યું છે અને તેથી જ આ માનવામાં આવે છે. કાર્બન ટેક્સની દરખાસ્તને હળવી કરવી પણ મુશ્કેલ છે કારણ કે યુરોપની સાથે યુકે પણ કાર્બન ટેક્સની તરફેણમાં છે. લેબર પાર્ટી કાર્બન ટેક્સમાં છૂટ આપવાના પક્ષમાં નથી.
ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ઘણી મહેનત કરી છે. બંને નેતાઓ ગયા વર્ષે નવી દિલ્હીમાં G-20 સમિટમાં FTA પર વાટાઘાટો કરવા સંમત થયા હતા. જો કે ચૂંટણીને કારણે આ ડિલ ફાઈનલ થઈ શકી નહીં. હવે બ્રિટનમાં સરકાર બદલાવાની સાથે આ સ્થગિત થઈ શકે છે.
ઋષિ સુનકની હારના મોટા કારણો
બ્રિટનમાં મોંઘવારી દરમાં ઘટાડો થયા બાદ પણ ખાદ્યપદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં અસંતોષ છે. 2016ના બ્રેક્ઝિટ જનમત બાદ બ્રિટન અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.
કન્ઝર્વેટિવ પાર્ટીને પણ સતત કૌભાંડોનો સામનો કરવો પડ્યો હતો. આમાં કોવિડ-19 પ્રતિબંધો દરમિયાન પાર્ટીગેટ જેવા વિવાદો પણ સામેલ છે, જેના કારણે બોરિસ જોહ્ન્સનને પીએમ પદ છોડવું પડ્યું હતું. વડાપ્રધાન ઋષિ સુનકની ઘણી નીતિઓને લઈને લોકો નારાજ હતા.
તેમણે ગેરકાયદેસર ઈમિગ્રેશનને પોતાનો મુદ્દો બનાવ્યો. લોકો માનતા હતા કે આ તેમની પાર્ટીને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓથી વાળવાનો પ્રયાસ છે. રવાંડામાં બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ મોકલવાની તેમની નીતિને ઘણા બ્રિટિશ નાગરિકો દ્વારા અમાનવીય ગણવામાં આવી હતી.
બ્રિટન કોરોનાથી આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહ્યું છે ત્યારે વિપક્ષી લેબર પાર્ટીના કીર સ્ટારમેરે આર્થિક વિકાસનું વચન આપ્યું હતું. સ્ટારમરના ઘણા વચનો પણ ઋષિ સુનકની હારનું કારણ બન્યા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
