Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TAHAWWUR RANA: '26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા આવશે ભારત', PM મોદી-ટ્રંપની બેઠકમાં નિર્ણય

TAHAWWUR RANA EXTRADITION: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ તેમણે આ નિર્ણયની જાહેરાત કરી.

ટ્રમ્પે કહ્યું કે અમે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીને ભારત મોકલી રહ્યા છીએ. તેને ભારતમાં કાર્યવાહીનો સામનો કરવો પડશે. વડાપ્રધાન મોદીએ આ નિર્ણય બદલ ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે "અમે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરીશું."

કોણ છે તહવ્વુર રાણા?

  • તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે જેને અમેરિકન જેલમાં રાખવામાં આવ્યો હતો.
  • તે 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી હતો. હેડલીએ મુંબઈ હુમલાની યોજના બનાવી અને તેનું રેકીંગ કર્યું, જેમાં 166 નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
  • તહવ્વુર રાણા પર લશ્કર-એ-તૈયબા (LeT) અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંબંધો હોવાનો આરોપ છે.
  • તે મુંબઈ હુમલાના કાવતરામાં સામેલ હતો અને આતંકવાદીઓને મદદ કરવાનો દોષી સાબિત થયો હતો.
  • ભારત ઘણા વર્ષોથી રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે જેથી તેને ભારતીય કાયદા હેઠળ સજા મળી શકે.

કેવી રીતે તહવ્વુર રાણાનું થયુ પ્રત્યાર્પણ?

  • જાન્યુઆરી 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની અપીલ ફગાવી દીધી, જેના કારણે તેમને ભારત મોકલવામાં આવ્યા.
  • ફેબ્રુઆરી 2025: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી કે તે ભારતની પ્રત્યાર્પણ વિનંતીનો અમલ કરશે.
  • વ્હાઇટ હાઉસ બેઠક: વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ પ્રત્યાર્પણની ઔપચારિક જાહેરાત કરવામાં આવી.
  • અમેરિકાએ કહ્યું કે તે મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારોને સજા આપવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપે છે.

ભારતીય એજન્સીઓ કરશે પૂછપરછ

  • ભારતીય એજન્સીઓ (સીબીઆઈ, એનઆઈએ) રાણાની કડક પૂછપરછ કરશે.
  • રાણા પર આતંકવાદ, રાજદ્રોહ અને હત્યા જેવી ગંભીર કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે.
  • મુંબઈ પોલીસ પાસે રાણા અને હેડલી વચ્ચેના ઈમેલ પુરાવા છે, જેનો ઉપયોગ કોર્ટમાં કરવામાં આવશે.
  • રાણાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોની તપાસ કરવામાં આવશે.
tahawwurranaextradition

26/11ના હુમલામાં મહત્વની ભૂમિકા

🔴 તે હેડલીનો નજીકનો સાથી હતો અને હુમલાની યોજનામાં સામેલ હતો.
🔴 આતંકવાદીઓને ભારતમાં પ્રવેશવામાં અને રહેવામાં મદદ કરી.
🔴 ISI અને લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં હતો.
🔴 તે ભારતમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

આંતકવાદ સામે ભારત અને અમેરિકાની લડાઈ

  • વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સામે લડવા માટે પહેલા કરતાં વધુ મજબૂતીથી સાથે મળીને કામ કરશે.
  • આ બેઠકમાં ભારત અને અમેરિકા વેપાર, સંરક્ષણ અને આતંકવાદ વિરોધી ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરહદ પારના આતંકવાદને સમાપ્ત કરવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.
  • તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય આતંકવાદ સામેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
  • 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ સામે કાર્યવાહી થશે
  • આતંકવાદ સામે ભારતની કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સમર્થન મળશે.
  • અમેરિકા અને ભારત વચ્ચે સુરક્ષા ભાગીદારી વધુ મજબૂત બનશે.
  • પાકિસ્તાનની આતંકવાદી નીતિઓને લઈને વિશ્વમાં વધુ દબાણ આવશે.
  • હવે ભારતીય એજન્સીઓ ટૂંક સમયમાં તહવ્વુર રાણાને ભારત લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X