WHOએ આપી ઓમીક્રોન અંગે મોટી ચેતવણી, 'તેને છેલ્લું વેરિઅન્ટ માનવું ખતરનાક છે'
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસના ઓમીક્રોન વેરિઅન્ટને ફાઈનલ વેરિઅન્ટ તરીકે સમજવા અંગે કડક ચેતવણી જાહેર કરી છે. WHOએ જણાવ્યું છે કે, આવી ધારણા ખતરનાક છે કે, તેની સાથે કોવિડ 19નો અંત થવા જઈ રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસના ઓમીક્રોન વેરિઅન્ટને ફાઈનલ વેરિઅન્ટ તરીકે સમજવા અંગે કડક ચેતવણી જાહેર કરી છે. WHOએ જણાવ્યું છે કે, આવી ધારણા ખતરનાક છે કે, તેની સાથે કોવિડ 19નો અંત થવા જઈ રહ્યો છે. વિશ્વ હાલમાં જે રીતે ઓમીક્રોન વેરિઅન્ટની પકડમાં છે, આવી સ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની આ ચેતવણીને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.
અમારી પાસે હવે તમામ સંસાધનો છે
આ અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે સોમવારના રોજ જણાવ્યું હતું કે, કોવિડ 19 રોગચાળો હવે તેના ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છેઅને આપણે નિર્ણાયક તબક્કે છીએ અને આ રોગચાળાને સમાપ્ત કરવા માટે તમામ દેશોએ સાથે મળીને કામ કરવું પડશે, કારણ કે અમારી પાસે તમામ સંસાધનો હવે ઉપલબ્ધ છે.
ઓમીક્રોનને છેલ્લું વેરિઅન્ટ ગણવું ખતરનાક - WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સોમવારના રોજ જણાવ્યું હતું કે, 'ઓમીક્રોન (કોવિડ-19નું) છેલ્લું વેરિઅન્ટ હશે અથવા આપણે તેના અંતિમ તબક્કામાં છીએ એવું માનવુંખતરનાક છે.'
આ અગાઉ ડબ્લ્યુએચઓ ચીફ ટેડડ્રોસે કહ્યું હતું કે, હવે વિશ્વમાં કોવિડ છે. તેની સામે ઉપાયો ઉપલબ્ધ છે અને કોરોના મહામારીને ખતમ કરવા માટે તમામદેશોએ સાથે મળીને કામ કરવું પડશે. તેમના મતે, 'કોવિડ 19 રોગચાળો હવે ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને અમે નિર્ણાયક તબક્કે છીએ.'
WHOએ જણાવ્યું હતું કે,'અમે કોરોના મહામારીના આ મુશ્કેલ તબક્કાને એકસાથે સમાપ્ત કરવું પડશે. અમે ગભરાટ અને ઉપેક્ષા વચ્ચે આને ચાલુ રાખવાની મંજૂરી આપી શકતા નથી.'
ભારતમાં 24 કલાકમાં 3,06,064 નવા કેસ નોંધાયા
જે દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે સવાર સુધીના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,06,064 નવા કોરોનાસંક્રમણ નોંધાયા છે અને દૈનિક હકારાત્મકતા દર 20.75 ટકા છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 17.03 ટકા છે.
આજની તારીખે દેશમાં સક્રિય કોવિડ કેસનો ભારફરી એકવાર વધીને 22,49,335 થઈ ગયો છે. જ્યાં સુધી દેશવ્યાપી રસીકરણનો આંકડો છે, તે હવે 162.26 કરોડ ડોઝના આંકડાને સ્પર્શી ગયો છે.