રસપ્રદઃ શા માટે પક્ષીઓ ઉડે છે વી આકારમાં?
આપણે જ્યારે આકશ તરફ દ્રષ્ટિ ફેરવીએ છીએ ત્યારે આપણને આભમાં વિહરતા અનેક પક્ષીના ઝૂંડો જોવા મળશે. એક દ્રષ્ટિએ આપણને જોવામાં ઘણા જ સારા લાગે છે. વાદળોથી છવાયેલા અનંત આકાશમાં પક્ષીઓની આ રચના એક અવિસ્મરણિય અને સુંદર નજારો આપણી આંખોને બક્ષે છે, પરંતુ શું આપણે ક્યારેય પણ પક્ષીઓ દ્વારા સર્જન કરવામાં આવેલા એ નજારાની બીજી દિશામાં વિચાર્યું છે ખરા? કદાચ નહીં તો આજે અમે અહીં તમને એ દિશામાં વિશ્વના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન અંગે જણાવી રહ્યાં છે.
આપણે આકાશમાં પક્ષીઓને વી અથવા તો એલ આકારમાં ઉડતા જોયા હશે. ખાસ કરીને આકાશમાં પક્ષીઓનું ઝૂંડ નીકળે ત્યારે તેઓ મોટા ભાગે વી આકારની કૃતિ બનાવે છે. આ દિશામાં વૈજ્ઞાનિકો દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે, જે અંગેનો અહેવાલ યુએસએ ટૂડેમાં છપાયો છે. આ અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકોને આ સંશોધનમાં વાત જાણવા છે કે શા માટે પક્ષીઓ દ્વારા વી આકારમાં ઉડાણ ભરવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ શા માટે પક્ષીઓ ઉડે છે વી ફોર્મેશનનમાં.

પક્ષીઓની ઉડવાની રીત પર કરાયું સંશોધન
આ અંગે કરવામાં આવેલા સંશોધન અનુસાર પક્ષીઓ એ માટે વી આકરે ઉડે છે કે જેથી ઉડવા માટે વપરાતી તેમની શક્તિનો તેઓ ઓછો ઉપયોગ કરી શકે. આ માટે પક્ષીઓ સમયાંતરે પોતાની સ્થિતિ પણ બદલતા રહે છે.

વી ફોર્મેશનને જાળવી રાખવુ જટીલ
બ્રાઉન યુનિવર્સિટીમાં એન્જીનિયરિંગ અને ઇકોલોજીના પ્રોફેસર કેન્ની બ્રેઉઅરે કહ્યું છે કે, આ વી ફોર્મેશનને જાળવી રાખવું ઘણું જ જટીલ કાર્ય છે.

વી આકારે ઉડીને એરક્રાફ્ટ પણ બચાવી શકે છે ઇંધણ
ટોચના વૈજ્ઞાનિકોના મત અનુસાર એરક્રાફ્ટ પણ જો આકાશમાં વી આકરે ઉડે તો તે પણ તેનું ઇંધણ મહદઅંશે બચાવી શકે છે, તેવી જ રીતે પક્ષીઓ પણ વી આકરામાં ઉડીને પોતાની શક્તિનો બચાવ કરે છે. જો કે આકાશમાં આ રીતે વી ફોર્મેશનને જાળવું કપરું છે. એ એટલું સરળ નથી કે તમે આકાશમાં એકાદ બેનું ટોળું બનાવીને ઉડો અને વી ફોર્મેશન તૈયાર થઇ જાય.

કેવી રીતે જાણવા મળી પક્ષીઓની ઉડવાની રીત
પક્ષીઓની ઉડવાની રીત અંગે ઘણા લાંબા સમયથી સંશોધન કરવામાં આવી રહ્યું છે, આખરે વૈજ્ઞાનિકોને તેમાં સફળતા મળી. પક્ષીઓની ઉડવાની રીત જાણવા માટે એકદમ સચોટ, વજનમાં હળવા જીપીએસ યુનિટ્સ અને અન્ય સેન્સરનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવ્યો હતો અને તેમની મદદથી આખરે પક્ષીઓની ઉડવાની રીત જાણી શકાઇ હતી.

સારસ પક્ષી પર કરાયુ પરિક્ષણ
પક્ષીઓના વી ફોર્મેશનને જાણવા માટે સૌથી પહેલા સારસ પક્ષીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરિક્ષણ માટે 14 યુવા સારસ પક્ષીને નક્કી કરવામાં આવ્યા. તેઓ ઉડાણ દરમિયાન એકબીજાની પોઝીશન ચેન્જ કરી રહ્યાં હતા અને વી આકારમા ઉડી રહ્યાં હતા. તેમનો એવરેજ એંગલ 45 ડીગ્રીનો હતો અને દરેક પક્ષી એકબીજાની પાછળ ચાર ફૂટની દૂરી પર રહેતા હતા.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
