માત્ર અમદાવાદ અને વારાણસીમાં જ લેન્ડ કરશે આ અનોખું વિમાન!
અબૂ ધાબી, 29 ઓક્ટોબર: વિશ્વનું સૌથી પહેલું સૌર ઊર્જાથી સંચાલિત વિમાન આખી દુનિયાની યાત્રા દરમિયાન ભારતમાં માત્ર અમદાવાદ અને વારાણસીમાં જ રોકાશે. સ્વિટ્જર્લેંડમાં શરૂ આ અનોખા પ્રયોગમાં સોલર ઇંપલ્સ નામના આ વિમાન આવતા વર્ષે માર્માં અબૂ ધાબીથી અમદાવાદ માટે ઊડાન ભરશે જ્યાંથી તે સીધું બનારસ માટે રવાના થશે. ત્યારબાદ વિમાન પ્રશાંત મહાસાગર તરફ ઊડાન ભરશે. આના કારણે હવાની દિશા છે, જેણે મનોચિકિત્સક અને સોલર ઇંપલ્સ પરિયોજનાને શરૂ કરનાર બટ્રરેંડ પિકાર્ડને આ બંને સ્થળોની પસંદગી કરવા માટે પ્રેરિત કર્યા છે.

પિકાર્ડને આ લીલા રંગના વિમાનને બનાવવા અને તેને ઉડાવવામાં એમઆઇટી ગ્રેડ્યુએટ આંદ્રે બોર્સબર્ગનો પણ સહકાર મળ્યો. 11 વર્ષ જૂની આ પરિયોજના માટે ઓમેગા, શિંડલર અને એબીબી સહિત ઘણી ખાનગી કંપનીઓએ 150 મિલિયન ડોલરનું ફંડિંગ કર્યું છે.

આ સૂર્યની ગર્મીને શોષી લેશે. આ પ્લેનમાં માત્ર એક જ પાયલટ રહી શકે છે. પિકાર્ડનું કહેવું છે કે આ પહેલો પ્રયોગ છે, માટે પાયલટ આખી યાત્રા દરમિયાન સોશિયલ નેટવર્ક પર પોતાના અનુભવ કહેતો રહેશે. તે દરેક સ્ટોપ પર લોકો અને શાળાના બાળકો સાથે વાતચીત પણ કરશે.












Click it and Unblock the Notifications
