કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના યુવાનનું મોત
ભરૂચના 23 વર્ષીય યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આ ગુજરાતી યુવકનો જીવ ગયો છે.
સમાચારો અનુસાર, ભરૂચના આમોદમાં કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા ઋષભ લીંબાચીયાનું કેનેડાના બ્રેમટનમાં અકસ્માતમાં મોત થયું છે.

મૃતક ઋષભ 3 વર્ષથી કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર હતો અને ટોરોન્ટોના અલગોમા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે કાર અને ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો. આ ઘટનાનો વીડિયો રસ્તા પર ચાલતી એક કારના ડેશકેમમાં કેદ થયો છે. આ ટક્કર રાત્રીના સમયે ઝડપથી ચાલતા વાહનો વચ્ચે સર્જાઈ.
જણાવી દઈએ કે, વિદેશમાં અકસ્માતમાં મોત થયા હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા ગુજરાતીઓના અકસ્માતની ઘટનામાં જીવ ગયા છે.












Click it and Unblock the Notifications
