Nijjar killing case : નિજ્જર હત્યાકાંડનો ચૌથો ભારતીય આરોપી પકડાયો, સીધા મર્ડરનો આરોપ
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં પોલીસે ચૌથી ભારતીય આરોપીની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર સીધી હત્યાનો આરોપ મુકાયો છે.
કેનેડા સરકારે હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તે ભારતીય છે. કેનેડિયન અધિકારીએ શનિવારે ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં તેની ભૂમિકા બદલ ચોથા ભારતીય નાગરિકની ધરપકડ કરી.

કેનેડાનું કહેવું છે કે તેણે સરેના બ્રામ્પટન વિસ્તારના 22 વર્ષીય અમરદીપ સિંહની ધરપકડ કરી છે અને તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે.
ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમે જણાવ્યું અમરદીપ સિંહની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં તેની ભૂમિકા બદલ 11 મેના રોજ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પહેલાથી જ ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં પીલ પ્રાદેશિક પોલીસની કસ્ટડીમાં હતો.
IHITના ઓફિસર-ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ મનદીપ મુખરે જણાવ્યું કે, આ ધરપકડ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભૂમિકા ભજવનારાઓને જવાબદાર ઠેરવવા માટે અમારી ચાલી રહેલી તપાસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
જણાવી દઈએ કે 45 વર્ષીય હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી.
IHIT તપાસકર્તાઓએ 3 મેના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ત્રણ ભારતીય નાગરિકો કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી હતી. આ ત્રણેય પર પણ ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
