રોહિત શર્મા બાદ આ ખેલાડી સંભાળી શકે છે ટીમ ઈન્ડિયાની કમાન, આ ખેલાડી રેસમાં સૌથી આગળ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની ખરાબ હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર ઘણા સવાલ ઉભા થયા છે. આ સિવાય રોહિત શર્માની ઉમર પણ થઈ રહી છે ત્યારે હવે ટીમને નવો કેપ્ટન મળી શકે છે. કેપ્ટન બનવાની રેસમાં ઘણા ખેલાડીઓ આગળ ચાલી રહ્યા છે.

ઋષભ પંતે
ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી ઋષભ પંત તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતો છે. હાલ આરામ કરી રહેલા પંતે 33 ટેસ્ટ મેચમાં 2271 રન બનાવ્યા છે. આ સાથે તેને 5 સદી અને 11 અડધી સદી ફટકારી છે. પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને આગળ જતા ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે.
શુભમન ગીલ
આઈપીએલમાં સદીની હેટ્રીક મારીને છવાઈ ગયેલો શુભમન ગીલ ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. ગીલ ટીમ ઈન્ડિયા માટે 16 ટેસ્ટ મેચ રમ્યો અને બે સદી અને ચાર અડધી સદી ફટકારી છે. શુભમન ગીલ પણ કેપ્ટનશિપની રેસમાં છે. જો કે હજુ તે એટલો અનુભવી નથી.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર પણ હાલ ઈજાના કારણે ટીમમાંથી બહાર છે. તેણે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચ રમી છે અને 666 રન બનાવ્યા છે. અય્યરે એક અને 5 અડધી સદી ફટકારી છે. તે ભારત માટે ટેસ્ટ કેપ્ટન તરીકે સારો વિકલ્પ બની શકે છે.
જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમનો અનુભવી બોલર જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ બની શકે છે. તેણે 30 ટેસ્ટ મેચ રમીને 128 વિકેટ લીધી છે. બુમરાહ 29 વર્ષનો છે અને હજુ ઘણા વર્ષ રમી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
