Aaj no toss kon Jityu: IPL 2024માં આજની મેચનો ટોસ કોણ જીત્યું? જાણો કોનું પલડું ભારે PBKS vs MI?
Aaj no toss kon Jityu, MI vs PBKS : પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવા જઈ રહેલા મુકાબલામાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા છે.
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંને માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી.
મુંબઈ-પંજાબની આવી જ હાલત - પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે, તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 6 મેચમાંથી માત્ર બે જ જીતવામાં સફળ રહી છે. નેગેટિવ રન રેટના કારણે તે આઠમા સ્થાને હાજર છે.
પંજાબ કિંગ્સની હાલત પણ આવી જ છે. પંજાબ કિંગ્સે પણ આ સિઝનમાં રમાયેલી 6 મેચમાંથી માત્ર બે જ જીત મેળવી છે. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરવામાં આવે, તો પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં અત્યાર સુધીમાં 31 મેચ રમી છે. જેમાં પંજાબ કિંગ્સ 15 મેચ જીતવામાં સફળ રહી છે.
આ સાથે મુંબઈ 16 મેચ જીતવામાં સફળ રહ્યું છે. મુંબઈ સામે પંજાબનો સર્વોચ્ચ સ્કોર 230 રહ્યો છે. જ્યારે પંજાબની ટીમ મુંબઈ સામે 223 રન બનાવવામાં સફળ રહી છે.
હાઈ સ્કોરિંગ મેચોની અપેક્ષા - આઈપીએલ 2024માં ઘણી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચેની આ મેચ હાઈ સ્કોરિંગ પણ બની શકે છે. જોકે, મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ઝડપી બોલર્સ માટે ફાયદાકારક રહી છે.
અહીં બોલને વધુ ઉછાળો મળે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનો માટે અહીં રન બનાવવા મુશ્કેલ છે. નવા બોલ સાથે ફાસ્ટ બોલર્સ આ મેચમાં પોતાની છાપ છોડી શકે છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
પંજાબ કિંગ્સ : જોની બેરસ્ટો, અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, સેમ કુરન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા.
મુંબઈ ઈન્ડિયન્સ : ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મોહમ્મદ નબી, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ.












Click it and Unblock the Notifications
