એશિયા કપઃ શર્માની ગેરહાજરીમાં ધોનીએ સંભાળી ટીમની કમાન
એશિયા કપઃ શર્માની ગેરહાજરીમાં ધોનીએ સંભાળી ટીમની કમાન
એશિયા કપની 10મી મેચમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેદાન-એ-જંગ ચાલી રહ્યો છે. ભારતીય ટીમે એશિયા કપની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી જ લીધી છે જ્યારે અફઘાનિસ્તાનની છેલ્લી મેચ છે. જો કે આજે અફઘાનની સાથે ભારતીય ટીમમાં પણ કેટલાય ફેરફાર જોવા મળ્યા છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા પણ આજે નથી રમી રહ્યા ત્યારે ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં સોંપવામાં આવી છે. ભારતીય ટીમના ગબ્બર શિખર ધવન અને હિટમેન રોહિત શર્મા બંને શાનદાર ફોર્મમાં હોય તેમને ફાઈનલ માટે રેસ્ટ આપવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાને ટૉસ જીતી પહેલા બેટિંગને પસંદગી આપી
ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં આજે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર, શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારને આજે આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએલ દિપક ચહર, ખલિલ અહેમદ, સિદ્ધાર્થ કૌલ, મનિષ પાંડે અને લોકેશ રાહુલને પ્લાઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવી છે.

4માંથી અફઘાનિસ્તાન 2 મેચ હાર્યું
જ્યારે અફઘાનિસ્તાની ટીમે સમિઉલ્લાહ શેનવારી અને ઈન્સાનુલ્લાહ જનતને આરામ આપ્યો છે અને તેમની જગ્યાએ ટીમમાં જાવેદ અહેમદી અને નઝીબુલ્લાહ ઝડરનને જગ્યા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2018માં અફઘાનિસ્તાન કુલ 4 મેચ રમી ચૂક્યું છે જેમાંથી 2 મેચમાં શ્રીલંકા સામે અને બાંગ્લાદેશ સામે વિજય થયો હતો જ્યારે પાકિસ્તાન અને એકવાર બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય ટીમ 4 મેચ રમ્યું છે અને ચારેય મેચમાં જીત હાંસલ કરી હતી. આની પહેલા પાકિસ્તાન સામે રમાયેલ મેચમાં ધવન અને રોહિત શર્મા બંનેએ સદી ફટકારી હતી.

ધોનીએ સંભાળી કમાન
જણાવી દઈએ કે 28મી સપ્ટેમ્બર શુક્રવારે એશિયા કપની ફાઈનલ મેચ રમાનાર છે. બુધવારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે જેમાંથી જે કોઈપણ ટીમ જીતશે તે ભારત સામે ફાઈનલમાં ટકરાશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ 6 વખત એશિયા કપ જીતી ચૂકી છે અને પાકિસ્તાન બે વખત એશિયા કપનો ટાઈટલ પોતાના નામે કરી શકી હતી. દર્શકોને અપેક્ષા છે કે ફાઈનલમાં ભારત સામે પાકિસ્તાન ટકરાશે જેથી કરીને મેચનો રોમાંચ બમણો થઈ શકે. એશિયા કપમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમમાંથી રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ અને ભુવનેશ્વર કુમાર શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યા છે. લોકેશ રાહુલ, સિદ્ધાર્થ કૌલ અને મનિષ પાંડેને આજે પહેલી વખત એશિયા કપ 2018માં રમવાનો મોકો મળી રહ્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
