Asia Cup 2023, IND vs PAK : મેચ જીતવા ટોસ જીતવો જરૂરી, સમજો મેચનું ગણિત
Asia Cup 2023, IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આર પ્રેમદાસા મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમનો બેટ છે. આવા સમયે આ મેદાન પર રન ચેઝ કરવા બિલકુલ સરળ નથી. જે કારણે આ મેચ જીતવા માટે ભારતે મેચ જીતવા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરીને મોટો સ્કોર ઉભો કરવો પડશે.
એશિયા કપમાં પાકિસ્તાનની સમસ્યા એ રહી છે કે, ટીમ મધ્ય ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહી છે. ભારત સામે રમાયેલી મેચમાં પણ આ જ સમસ્યા સામે આવી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન બાબર આઝમે ઉકેલ શોધવો પડશે.

જસપ્રીત બુમરાહ સમયસર ટીમ સાથે જોડાવાથી રોહિત અને કંપની માટે એક મોટો બૂસ્ટર છે. બુમરાહ જ્યારે તેનો દિવસ હોય, ત્યારે કોઈપણ બેટિંગ ઓર્ડરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. બાબર આઝમ અને રિઝવાનને સસ્તામાં પેવેલિયનમાં મોકલવાની જવાબદારી બૂમ-બૂમના ખભા પર જ રહેશે.
કેપ્ટન રોહિત શર્મા સમક્ષ સમસ્યા એ હશે કે, ઈશાન કિશન અને કેએલ રાહુલમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા જોઈએ. ઈશાને પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, પાંચમા નંબર પર કેએલ રાહુલનો રેકોર્ડ ઘણો મજબૂત રહ્યો છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા ડાબા હાથના ફાસ્ટ બોલર સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે. વર્ષ 2021 થી કોહલીએ ડાબા હાથના ફાસ્ટ બોલર સામે 4 વખત તેની વિકેટ ગુમાવી છે, જ્યારે રોહિત છ વખત પેવેલિયન પરત ફર્યો છે.
પાકિસ્તાનના પેસ એટેકે એશિયા કપ 2023માં બેટ્સમેનોને તબાહી મચાવી દીધી છે. શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હેરિસ રઉફે મળીને ટૂર્નામેન્ટમાં 23 વિકેટ લીધી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે કોલંબોમાં શાનદાર મેચ રમાવાની છે. કોલંબોની પીચ પર સ્પિનર્સનું વર્ચસ્વ છે અને દરેક રન માટે બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડે છે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામસામે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે શોએબ ઘણા વર્ષો પછી કોલંબો પહોંચ્યો છે. આવી સ્થિતિમાં શોએબે ભારતને પાકિસ્તાનથી દૂર રહેવાની ચેતવણી આપી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બંને ટીમો 10મી સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર એકબીજા સાથે ટકરાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આવી સ્થિતિમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ક્રિકેટ ચાહકોને મોટી રાહત આપી છે. ACCએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ માટે અનામત દિવસ જાહેર કર્યો છે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાનની ટીમો બીજી વખત એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. બાબર આઝમે કહ્યું કે, પાકિસ્તાન અને શ્રીલંકામાં સતત ક્રિકેટ રમીને તમે કહી શકો છો કે, ભારત સામે અમારો હાથ રહેશે.
શુભમન ગીલને પૂછવામાં આવ્યું હતું કે, જો ડાબોડી ફાસ્ટ બોલર નેટમાં નથી રમી રહ્યો, તો શું મેચ દરમિયાન ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની બોલિંગથી કોઈ ફરક પડશે. આ સવાલના જવાબમાં શુભમન ગીલે જણાવ્યું હતું કે, તેનાથી બહુ ફરક નથી પડતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, શ્રીલંકામાં રમાશે. જોકે, આ શાનદાર મેચ પર વરસાદનો ખતરો છે. કોલંબોના હવામાનની વાત કરીએ તો, એક્યુવેધરના જણાવ્યા અનુસાર, તે દિવસભર વાદળછાયું રહેશે અને કેટલાક વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદની સંભાવના છે. મેચના દિવસે વરસાદની 90 ટકા શક્યતા છે.
ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે સુપર-4 રાઉન્ડની આ મેચ કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સ્પિન બોલરો સામાન્ય રીતે આ મેદાન પર પ્રભુત્વ ધરાવે છે. આ મેદાન પર રન બનાવવા માટે બેટ્સમેનોને ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે.












Click it and Unblock the Notifications
