Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચને લઇ રોહિત શર્માએ તોડી ચુપ્પી, જાણો ક્યારે છે મેચ
વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ શકે છે.
પ્રથમ ગ્રૂપ સ્ટેજ બીજી તારીખે યોજાશે. અને સુપર ફોરમાં બીજી મેચ 10 સપ્ટેમ્બરે રમાશે. જો આ બંને ટીમ ફાઈનલમાં પહોંચે છે તો 17 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને વચ્ચે ટક્કર થઈ શકે છે.

ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકામાં થવા જઈ રહ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મોટી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે મુજબ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનના મુલતાનમાં રમાશે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. રોહિત શર્માએ કહ્યું કે જ્યારે તમે પાકિસ્તાન સામે રમો છો ત્યારે તે હંમેશા પડકારજનક હોય છે.
તેમને હરાવવા અને તેમની સામે રમવું, આ માટે અમારે ઘણું કરવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી ટીમ એશિયા કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2022 વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી. ગયા વર્ષે રમાયેલા એશિયા કપમાં ભારતને સુપર ફોરમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન ઉપરાંત ટીમ શ્રીલંકા સામે પણ હાર્યું હતું. જેના કારણે ભારત ફાઇનલમાં જગ્યા બનાવી શક્યું નથી. ભારત આ વર્ષે કોઈપણ ભૂલનું પુનરાવર્તન ટાળવાનો પ્રયાસ કરશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
