Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચને લઇ રોહિત શર્માએ તોડી ચુપ્પી, જાણો ક્યારે છે મેચ
વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ શકે છે.
પ્રથમ ગ્રૂપ સ્ટેજ બીજી તારીખે યોજાશે. અને સુપર ફોરમાં બીજી મેચ 10 સપ્ટેમ્બરે રમાશે. જો આ બંને ટીમ ફાઈનલમાં પહોંચે છે તો 17 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને વચ્ચે ટક્કર થઈ શકે છે.

ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકામાં થવા જઈ રહ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મોટી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે મુજબ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનના મુલતાનમાં રમાશે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. રોહિત શર્માએ કહ્યું કે જ્યારે તમે પાકિસ્તાન સામે રમો છો ત્યારે તે હંમેશા પડકારજનક હોય છે.
તેમને હરાવવા અને તેમની સામે રમવું, આ માટે અમારે ઘણું કરવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી ટીમ એશિયા કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2022 વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી. ગયા વર્ષે રમાયેલા એશિયા કપમાં ભારતને સુપર ફોરમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન ઉપરાંત ટીમ શ્રીલંકા સામે પણ હાર્યું હતું. જેના કારણે ભારત ફાઇનલમાં જગ્યા બનાવી શક્યું નથી. ભારત આ વર્ષે કોઈપણ ભૂલનું પુનરાવર્તન ટાળવાનો પ્રયાસ કરશે.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
