Pak vs NZ: પાકિસ્તાને ટીમમાથી ઉપકેપ્ટનને પડતો મુકવામાં આવ્યો
આજથી પાકિસ્તાન અને ન્યઝુલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો જેમા પાકિસ્તાનના ઉપકેપ્ટન રિજવાનને પડતો મુકવામાં આવ્યો છે. સતત ખરાબ ફોર્નમાથી પસાર થઇ રહેલા રિજવાને આજની ટેસ્ટમાં પડતો મુકવામાં આવ્યો હતો.
ઇગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિજમાં શરમજનક હાર બાદ પાકિસ્તાનની ટીમ આજે ન્યુઝિલેન્ડ સામે ટેસ્ટ સીરીજ રમશે. પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી કરાચી સ્ટેડીયમાં થશે. પહેલા ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમે ઘણા બદલાવ કર્યા છે. ઇંગ્લેન્ડ સામે હાર બાદ પાકિસ્તાનની ટીમ કોઇ પણ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કરવાના મૂડમાં નથી.

પાકિસ્તાનની ટીમના ઉપકેપ્ટન મોહમ્મદ રિજવાન ન્યુઝિલેન્ડ સામેની પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા નથી બનાવી શક્યા. મોહમ્મજ રિજવાનની જગ્યાએ સરફરાજ અહમદને વિકેટકપીર તરીકે આ મેચમાં સમાવેશ કવરામાં આવ્યો છે. મોહમ્મદ રિજવાન ઉપકેપ્ટન હોવા છતા ટીમમાં નથી. જેના પર ઘણા પાક ફેન્સ દ્વારા આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તે રિજવાનને લઇેન પોતાની પ્રતિક્રિયા આપી રહ્ય છે.
તેમા શંકાને કોઇ સ્થાન નથી કે, ટી 20 અને વન ડે મા મોહમ્મદ રિજવાને ઘણીવાર પોતાની કાબેલિયત સાબિત કરી છે. પરતુ ટેસ્ટ ક્રિકેટમાં તેની અત્યાર સુધી છ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં રિજવાનની બેટિંગની એવરેજ 23.50 રહી હતી. એટલા માટે જ રિજવાનની જગ્યાએ કેપ્ટન બાબર આજમે સરફરાજ અહમદને ટીમમાં શમાવેશ કર્યો છે. 11 જાન્યુઆરી 2019 પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમાનાર સરફરાજને આ મેચમાં ઘણી આશા હશે.












Click it and Unblock the Notifications
