પોતાના પહેલા પ્રેમને કારણે ધોનીએ 15 ઓગસ્ટે સંન્યાસનો ફેસલો લીધો
પોતાના પહેલા પ્રેમને કારણે ધોનીએ 15 ઓગસ્ટે સંન્યાસનો ફેસલો લીધો
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 16 વર્ષના કરિયરને 15 ઓગસ્ટ 2020ના રોજ અલવિદા કહી દીધું. ધોનીએ આઝાદીના 74મી વર્ષગાંઠના અવસર પર પોતાના કરિયરને અલવિદા કહેતા લખ્યું કે તમે બધાએ મને ઘણો પ્યાર આપ્યો તેના માટે આભાર, આજે સાંજે 7.30 વાગ્યા બાદ તમે મને રિટાયર સમજો. હંમેશા મેદાન પર પોતાના અદભુત ફેસલા અને કરિયરમાં પોતાની ટીમને કેટલાય ખિતાબ જીતવનાર ધોનીએ અચાનક સંન્યાસનું એલાન કરી દુનિયા ભરમાં પોતાના ફેન્સને ચોંકાવી દીધા જે તેમની ટીમનો ઈંતેજાર કરી રહ્યા હતા.
પણ શું તમે જાણો છો કે ધોનીએ પોતાના સંન્યાસ માટે 15 ઓગસ્ટની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી, જેનો જવાબ શોધવામાં કદાચ તમે કેટલાય અંદાજા લગાવતા જોવા મળો પરંતુ હકિકતમાં તેની પાછળ એક જ કારણ છે અને તે છે ધોનીનો પહેલો પ્રેમ.

દેશ પ્રેમ છે ધોનીનો પહેલો પ્રેમ
ધોનીના ખેલની કાબિલિયત વિશે તો સૌકોઈ જાણે જ છે પરંતુ પોતાના દેશ માટે તેમનો પ્રેમ સૌથી પહેલા આવે છે. ધોનીએકેટલાય અવસર પર સાબિત કર્યું કે તેમના માટે દેશથી મોટું કંઈ નથી. ધોનીએ કેટલીયવાર સાબિત કર્યું કે તેમના માટે રાષ્ટ્ર પ્રેમ સૌથી ઉપર છે, કદાચ આ કારણે જ તેમણે ક્રિકેટ ઉપરાંત ભારતીય સેનામાં પોતાની સેવા આપવાનો ફેસલો લીધો.

વર્લ્ડ કપ માટે પોતાની પત્ની પાસે ધોની ના રોકાયા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની મેજબાનીમાં રમાયેલ વર્લ્ડ કપ દરમિયાન ધોની જ ભારતીય ટીમના કેપ્ટન હતા અને તે સમયે તેમની પત્ની સાક્ષી ધોની પણ પ્રેગ્નન્ટ હતી. જો કે છતાં ધોનીએ દેશ માટે વિશ્વ કમ રમવો પોતાની પ્રાથમિકતા રાખી અને પિતા બન્યાના સમાચાર મળ્યા હોવા છતાં તે પોતાના દેશને ખાતર ઘર ના ફર્યા. આ વિશે જ્યારે તેમની સાથે વાત થઈ તો તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે આ સમય તેમના માટે દેશ જરૂરી છે બાકી બધું ઈંતેજાર કરી શકે છે.

ભારતીય સેના સાથે ધોની જોડાયા
શ્રીલંકા વિરુદ્ધવર્ષ 2011માં વિશ્વકપ ફાઈનલ જીતનાર ધોની માટે આ વર્ષ બહુ ખાસ હતું. કેમ કે દેશ માટે 28 વર્ષ બાદ કપ જીત્યા બાદ માહીને તેમના કરિયરનું સૌથી મોટું સન્માન મળ્યું છે અને તેમને ભારતીય સેનાએ લેફ્ટિનેન્ટ કર્નલના રેંકથી નવાજ્યા. ધોનીએ ખુદ એક અવસર પર કહ્યું હતું કે જો તેઓ ક્રિકેટમાં ના હોત તો સૈનિક બની જાત. લેફ્ટિનેન્ટ કર્નલનું સન્માન મળતાની સાથે જ ધોનીએ પેરાટ્રૂપર ટ્રેનિંગ પૂરી કરી અને પાછલા વર્ષે કાશ્મીરમાં વિક્ટર ફોર્સ સાથે પણ જોડાયા.

આર્મી યૂનિફોર્મમાં પદ્મભૂષણ સન્માન મેળવ્યું
દેશ માટે ધોનીનો પ્રેમ આ વાતથી પણ માલૂમ પડે છે કે જ્યારે તેમને વર્ષ 2018માં પદ્મ ભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા તો તેમણે આ સન્માન સેનાની વરદીમાં તેને લેવા પહોંચવાને લઈ સવાલ ઉઠાવ્યા તો તેમણે કહ્યું કે આર્મીની યૂનિફોર્મમાં આ સન્માનને હાંસલ કરવું આ ખુશીને દસ ગણા વધારી દે છે.
તેમણે સોશિયલ મીડિયા પર ખુદ લખ્યું હતું, જે કોઈપણ લોકો વરદીમાં રહી દેશની સેવા કરી રહ્યા છે અને તેમનો પરિવાર પણ જે કષ્ટ ઉઠાવી રહ્યા છે તેના માટે તેમનો ધન્યવાદ. તમારી કુરબાનીના કારણે જ આપણે લોકો ખુશી મનાવી શકીએ છીએ અને પોતાના અધિકારોને મેળવી શકીએ.

પુલવામા હુમલા બાદ આર્મી કેપ પહેરી વનડે મેચ રમી
આટલું જ નહિ વર્ષ 2019માં જ્યારે પુલવામામાં ભારતીય સેનાના એક આર્મી કેમ્પ પર હુમલ થયો હતો તો ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં રાંચીમાં થયેલ મેચમાં આર્મી કેપ પહેરીને રમ્યા હતા. ભારતીય ટીમે સેનાના સન્માનમાં અને પુલવામા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મી કેપ પહેરી હતી. સાથે જ ધોની અને આખી ટીમ ઈન્ડિયાએ પોતાની મેચ ફી શહીદોના પરિવારને દાનમાં આપી દીધી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
