IND vs BAN: ટી20 મેચ પર પાણી ફેરવી શકે ચક્રવાત 'મહા', જાણો મોસમના હાલ
IND vs BAN: ટી20 મેચ પર પાણી ફેરવી શકે ચક્રવાત 'મહા', જાણો મોસમના હાલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 3 મેચોની ટી20 સીરિઝની આજે બીજી મેચ છે. 7મી નેમ્બરે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બીજી મેચ રમાવવા જઈ રહી છે. આ મેચ પર ચક્રવાત મહાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચક્રવાત મહા આજે જ ગુજરાતના તટ પર ટકરાવવાની સંભાવના છે, જેનાથી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જો તેજ વરસાદ થાય છે તો, બીજો ટી20 મુકાબલો નહિ મળી શકે.

રાજકોટમાં આજે મેચ રમાશે
રાજકોટમાં બુધવારે સાંજે ગાજ વીજ સાથે તેજ વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમની વિકેટ હાલ કવરથી ઢંકાયેલ છે. જો કે તાજા જાણકારી મુજબ અરબી સમુદ્રમાં ઉઠેલ અતિ ગંભીર તોફાન મહા થોડું વધુ કમજોર પડી હમે માત્ર ગંભીર શ્રેણીના વાવાઝોડા તરીકે ગુજરાત તરફ વધી રહ્યું છે. પરંતુ મેચના દિવસે વરસાદની સંભાવના જતાવાઈ રહી છે. આજે સાંજે સાત વાગ્યે મેચ શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે આ ચક્રવાતી તોફાનના કારણે રાજકોટ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છ અને સાત નવેમ્બરે હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.
|
હવામાન પર નજર રાખેલ છે
સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘે પણ હવામાનની ભવિષ્યવાણી પર નજર રાખેલ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 'મેચની તૈયારી માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ પરંતુ સાથે જ હવામાન પર પણ નજર રાખી રહ્યા છીએ.'
|
બાંગ્લાદેશ 1-0થી આગળ
મંગળવારે સવારે રાજકોટમાં ધોમ તડકો હતો પરંતુ બુધવારે વરસાદ થયો. બંને ટીમોએ બુધવારે રાજકોટના મેદાનમાં પ્રેક્ટિસ પણ કરી. જણાવી દઈએ કે દિલહીમાં વાયુ પ્રદૂષણ છતાં પહેલી ટી20 મેચ રમાઈ હતી. જે બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બંને ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશે ભારતને સાત વિકેટથી હરાવી સીરિઝમાં 1-0થી લીડ બનાવી રાખી છે.












Click it and Unblock the Notifications
