Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND Vs ENG : ત્રીજી ટેસ્ટ નહીં રમે શુભમન ગિલ? જાણો કેમ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને જીતમાં મહત્વની ભુમિકા ભજવી હતી. જો કે હવે અહેવાલ આવી રહ્યા છે કે શુભમન ગિલ ત્રીજી ટેસ્ટ નહીં રમે.

ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. શુભમન ગિલ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

IND Vs ENG

શુભમન ગીલે સોમવારે પોતાની આંગળીની ઈજા પર વધુ ધ્યાન ન આપ્યું, જેના કારણે તેને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે મેદાનની બહાર રહેવું પડ્યું હતું. તેના સ્કેનમાં કોઈ ગંભીર બાબત સામે આવી નથી અને તે આગામી થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જશે.

જણાવી દઈએ કે, ગિલે ત્રીજા દિવસે બેટિંગ કરતા 147 બોલમાં 104 રન બનાવ્યા અને પાંચ મેચની શ્રેણીમાં ભારતની 106 રનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. જો કે પછી સોમવારે મેદાનમાં ન આવ્યો અને તેની જગ્યાએ સરફરાઝ ખાન મેદાનમાં આવ્યો હતો.

ગિલ રવિવારે દિવસની રમતના અંતે તેની જમણી બાજુની તર્જનીને ઇજા બાદ ઝડપથી મેદાન છોડી ગયો હતો અને સોમવારે મેચ સમાપ્ત થયા બાદ તેણે ખુલાસો કર્યો હતો કે તે સ્કેન માટે ગયો હતો.

ગિલે ભારત પછી હોસ્ટ બ્રોડકાસ્ટરને કહ્યું કે, મારે ગઈકાલે સ્કેન માટે જવું પડ્યું, મારી આંગળીમાં કેટલો દુખાવો છે તે તપાસવા અને જાણવા માટે લઈ ગયા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X