Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND Vs ENG : પૂણેમાં વિરાટ કોહલી-રોહિત શર્મા ઇંગ્લૅન્ડને હરાવી ટુર્નામૅન્ટ જીતી શકશે?

IND Vs ENG : પૂણેમાં વિરાટ કોહલી-રોહિત શર્મા ઇંગ્લૅન્ડને હરાવી ટુર્નામૅન્ટ જીતી શકશે?

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી વન-ડે ક્રિકેટ મૅચ રવિવારે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસૉસિયેશનના સ્ટેડિયમ પર યોજાશે. હાલ ત્રણ મૅચની ટુર્નામૅન્ટમાં બંને ટીમોએ એક-એક મૅચ જીતી છે.

આ અગાઉ ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટી-20 ટુર્નામૅન્ટને 3-2થી જીતી હતી. ચેન્નાઈ અને અમદાવાદમાં રમાયેલી ચાર ટેસ્ટ મૅચની સીરિઝ પર 3-1થી કબજો કર્યો હતો.

ગત વન-ડે મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલી બેટિંગ કરતાં 336 રનનો સ્કોર છ વિકેટે બનાવ્યો હતો. જોકે બેન સ્ટોક્સની ધુઆંધાર ઇનિંગ્સની મદદથી ઇંગ્લૅન્ડે માત્ર 43.3 ઑવરમાં 337 રન બનાવી દીધા હતા.

રિષભ પંતે 40 બૉલમાં 77 રનની સ્ફોટક ઇનિંગ રમી હતી.

પહેલી બેટિંગમાં ભારત તરફથી લોકેશ રાહુલે સદી નોંધાવી હતી. લોકેશ રાહુલે 114 બૉલમાં 108 રન બનાવ્યા હતા. કૅપ્ટન વિરાટ કોહલીએ 66 રન અને રિષભ પંતે 40 બૉલમાં 77 રનની સ્ફોટક ઇનિંગ રમી હતી.

ઇંગ્લૅન્ડની ટીમમાં જોની બેયરસ્ટોએ 112 બૉલમાં 124 રન બનાવ્યા હતા. જ્યારે બેન સ્ટોક્સે 52 બૉલમાં 99 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે 10 સિક્સ મારી હતી. જ્યારે બેયરસ્ટોએ 7 સિક્સ મારી હતી. ઑપનિંગમાં આવેલા જેસન રોયે પણ અડધી સદી નોંધાવી હતી.

જોની બેયરસ્ટોએ 112 બૉલમાં 124 રન બનાવ્યા હતા

બીજી મૅચમાં થયેલાં રોચક મુકાબલાને કારણે આખી ટુર્નામૅન્ટ રોચક બની ગઈ છે. આવી સ્ફોટક ઇનિંગ્સ ફરી જોવા મળશે કે નહીં તે એક ચર્ચા છે.

ટેસ્ટ અને ટી-20 ટુર્નામૅન્ટ હાર્યા પછી ઇંગ્લૅન્ડ વન-ડે ટુર્નામૅન્ટ જીતવા માગે છે ત્યારે આ ગેમ રોચક બનશે.


બંને ટીમના બૉલરો સામે છે પડકારો

કુલદીપ યાદવને સ્થાને વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે, બૉલરોને પ્રદર્શન પર રહેશે આધાર

પહેલી વન-ડે મૅચમાં ઇન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવીને 317 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 251 રનમાં જ ઑલઆઉટ થઈ હતી.

ભારતની ટીમે બીજી મૅચમાં 336 રન છ વિકેટે બનાવ્યા. ઇંગ્લૅન્ડની ટીમ ભલે 337 રન બનાવીને મૅચ જીતી ગઈ પરંતુ સવાલ હજુ બૉલરોના પ્રદર્શન પર થઈ રહ્યા છે.

પહેલી મૅચમાં ભારતના બોલરોએ સારી બોલિંગ કરીને ઇંગ્લૅન્ડને 251 રનમાં જ ઑલઆઉટ કર્યું હતું. જોકે બીજી મૅચમાં તો ભારતીય બૉલરો પણ ઇંગ્લૅન્ડના બેટિંગ ઍટેક સામે ટકી શક્યા ન હતા.

આ સ્થિતિમાં બંને ટીમોનું બૉલિંગ પ્રદર્શન સુધરે તે મોટી ચિંતા છે. ભારત માટે કુલદીપ યાદવનું પ્રદર્શન ચિંતાનો વિષય બનેલું છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના સ્થાને ચહલને કે વોશિંગટન સુંદરને જગ્યા આપવામાં આવે.

હાલ ઇંગ્લૅન્ડની ટીમમાં કોઈ મોટું પરિવર્તન જોવા મળે એવું દેખાઈ રહ્યું નથી. પરંતુ ટોમ કરનના સ્થાને માર્ક વૂડને જગ્યા મળી શકે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=e-p0YB8ylHE

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X