Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs PAK: ભારત સામે મેદાનમાં નહીં ઉતરે પાકિસ્તાન! શહબાઝ શરીફે કર્યું મોટું એલાન, ચાહકો નિરાશ

IND vs PAK, PM Shehbaz Sharif: ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ 2026ની ગ્રુપ-એ મેચને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે (PM Shehbaz Sharif) એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની ટીમ ભારત સામેની આ મેચમાં મેદાન પર નહીં ઉતરે.

IND vs PAK PM Shehbaz Sharif

શહબાઝ શરીફે મેચ અંગે આપ્યું મોટું નિવેદન (IND vs PAK, PM Shehbaz Sharif)

બુધવારે પાકિસ્તાન કેબિનેટની બેઠકને સંબોધતા વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે, આ નિર્ણય ક્રિકેટ કરતાં સિદ્ધાંતો સાથે વધુ જોડાયેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રમતોમાં રાજકારણનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. શરીફે પોતાના સંબોધનમાં કહ્યું, "અમે ટી-20 વર્લ્ડ કપને લઈને ખૂબ જ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અમે ભારત સામે મેચ નહીં રમીએ કારણ કે રમતનું મેદાન રાજકારણ માટે નથી."

PCBએ હજુ સુધી ICCનો સંપર્ક કર્યો નથી

વડાપ્રધાને વધુમાં સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનનું આ વલણ બાંગ્લાદેશના સમર્થનમાં છે. તેમણે આ નિર્ણયને સમજી-વિચારીને લીધેલો અને યોગ્ય ગણાવતા કહ્યું કે પાકિસ્તાન પૂરી રીતે બાંગ્લાદેશની સાથે ઊભું છે. નવાઈની વાત એ છે કે, વડાપ્રધાનના જાહેર નિવેદન છતાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને આ બહિષ્કાર અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.

સત્તાવાર રીતે કોઈ નિર્ણય લેવાયો નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર, PCB તરફથી ICCને કોઈ ઈમેલ કે લેખિત દસ્તાવેજ મોકલવામાં આવ્યો નથી. લેખિત પુષ્ટિના અભાવે, ICCએ આ મેચને હજુ પણ સત્તાવાર શેડ્યૂલનો હિસ્સો બનાવી રાખી છે. નિયમો મુજબ, જ્યાં સુધી સત્તાવાર રીતે ખસી જવાની સૂચના ન મળે, ત્યાં સુધી ICC કોઈ શિક્ષાત્મક કે પ્રક્રિયાગત કાર્યવાહી કરી શકે નહીં.

જો મેચ નહીં થાય તો શું થશે?

આ રાજકીય નિવેદનબાજી વચ્ચે ભારતીય ટીમનું વલણ સંપૂર્ણપણે વ્યાવસાયિક (પ્રોફેશનલ) રહ્યું છે. ટીમ ઈન્ડિયા પોતાના નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કોલંબોની યાત્રા કરશે. ભારતીય ટીમ મેચની પૂર્વ સંધ્યાએ યોજાનારી પ્રેસ કોન્ફરન્સ સહિત મેચના દિવસની તમામ ઔપચારિકતાઓ પૂરી કરશે. નિયમો અનુસાર, 15 ફેબ્રુઆરીએ નિર્ધારિત સમયે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ માટે મેદાન પર હાજર રહેશે.

જો પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા ટોસ માટે નહીં આવે, તો મેચ રેફરી સ્ટાન્ડર્ડ ICC પ્રોટોકોલનું પાલન કરશે. આવી સ્થિતિમાં ભારતને 'વોકઓવર' આપવામાં આવશે અને એક પણ બોલ ફેંક્યા વગર ભારતના ખાતામાં 2 પોઈન્ટ ઉમેરાઈ જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X