IND vs SL : ફાઈનલમાં વરસાદની કેટલી સંભાવના? કેવી રહેશે પિચ?
એશિયા કપની ફાઈનલ માટે ભારત અને શ્રીલંકાની ટીમે કમર કસી લીધી છે. કાલે બન્ને ટીમો ટાઈટલ માટે મેદાને પડશે ત્યારે ફરીથી વરસાદ વિલન ન બને તેવી ક્રિકેટ ફેન્સ પ્રાથના કરી રહ્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. છેલ્લી મેચમાં પણ બંને ટીમો અહીં ટકરાઈ હતી અને ઈન્ડિયાએ જીત મેળવી હતી. આ મેચ સુપર ફોર મુકાબલો હતો.

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમે ઘણા ખેલાડીઓને આરામ આપ્યો હતો અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકા સામેની મેચમાં પોતાના તમામ મોટા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતારશે. અહીં બન્ને ટીમો વચ્ચે ધમાકેદાર મુકાબલાની સંભાવના છે. શ્રીલંકા પાકિસ્તાનને હરાવીને આવ્યુ છે તેનો પણ તેને ફાયદો મળશે.
બીજી તરફ પીચની વાત કરીએ તો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની પીચ બેટિંગ ટીમને સપોર્ટ કરી શકે છે. ત્યારબાદ બેટિંગ કરવી મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં સ્પિનરોને પિચથી મદદ મળે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન પિચ આ પ્રકારનું વર્તન કરી શકે છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
બીજી તરફ હવામાનની વાત કરીએ વરસાદ પીછો છોડે તેવી સંભાવના ઓછી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન પણ વરસાદ જોવા મળી શકે છે. સાંજે વરસાદની પચાસ ટકા શક્યતા રહેશે. શરૂઆતમાં થોડો વરસાદ પડી શકે છે પરંતુ સાંજે વરસાદની શક્યતા વધુ છે.












Click it and Unblock the Notifications
