Indian Team Prize Money : ભારતીય ટીમને મળેલા 125 કરોડમાંથી કોને કેટલા મળશે?
T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમ પર રૂપિયાનો વરસાદ થયો છે. પ્રાઈઝ મની સાથે સાથે બીસીસીઆઈએ 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે.
T20 વર્લ્ડ કપમાં જીત બાદ BCCIએ ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. આ ઈનામી રકમ પુરી ટીમને આપવામાં આવી છે.

આ લિસ્ટમાં ટીમના ખેલાડીઓ, સ્પોર્ટ્સ સ્ટાફ અને રિઝર્વ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. અહીં એ જાણવુ જરૂરી છે કે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ ભારતીય ખેલાડીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે અને તેમાંથી કેટલી રકમ ટેક્સ કપાશે?
બીસીસીઆઈ ઉપરાંત આઈસીસીએ પણ ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે. ટેક્સ વિશે વાત કરીએ તો એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓને બે રીતે ચૂકવણી કરવામાં આવે છે.
જો ખેલાડીઓને તેમની ફીની સાથે પ્રોફેશનલ ફી તરીકે પૈસા આપવામાં આવે છે તો તે રકમ પર 0 ટકા TDS કાપવામાં આવે છે. કલમ 194 JB હેઠળ આ રકમ પર TDS કાપવામાં આવશે. પછી આ પૈસા ખેલાડીઓની આવકમાં પ્રતિબિંબિત થશે અને આવકવેરો ITRમાં નક્કી કરવામાં આવશે.
બીજી તરફ જો આ રકમ ખેલાડીઓને ઈનામી રકમ તરીકે આપવામાં આવે છે તો તેના પર ટેક્સ લાગશે. ઈનામની રકમ પર 3 ટકા TDS પહેલેથી જ કાપવામાં આવશે. પછી આ સ્થિતિમાં રકમ પર 30 ટકા સુધીનો ટેક્સ કાપવામાં આવશે અને બાકીની રકમ ખેલાડીઓને આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ ટીમના 15 સભ્યો, 4 રિઝર્વ ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફના લગભગ 15 સભ્યોમાં વહેંચવામાં આવશે.
આમાં ટીમના મુખ્ય 15 ખેલાડીઓને લગભગ 5 કરોડ રૂપિયા આપવામાં આવી શકે છે. આ સિવાય સપોર્ટ સ્ટાફ અને બાકીના ચાર રિઝર્વ ખેલાડીઓને 1 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
