IPL 2020: મલિંગાના રેકોર્ડથી માત્ર 14 વિકેટ દૂર છે અમિત મિશ્રા
IPL 2020: મલિંગાના રેકોર્ડથી માત્ર 14 વિકેટ દૂર છે અમિત મિશ્રા
નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી બોલર લસિથ મલિંગા યૂએઈમાં 19 સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહેલ આઈપીએલની 13મી સીઝનનો ભાગ નહિ બની શકે. તેઓ અંગત કારણોસર ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. એવામાં ભારતીય સ્પિનર અમિત મિશ્રા પાસે મલિંગાનો રેકોર્ડ તોડવાનો સોનેરી મોકો રહેશે જેઓ દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે અમિત મિશ્રા આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી લસિથ મલિંગાનો રેકોર્ડ તોડી શકે છે. મલિંગા અંગત કારણોસર ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે, એવામાં અમિત મિશ્રા આસાનીથી આ રેકોર્ડ તોડી નાખશે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના મલિંગાએ આઈપીએલમાં રમાયેલ અત્યાર સુધીની 122 મેચમાં 170 વિકેટ ચટકાવી છે. અત્યાર સુધી તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં ટૉપ પર છે. જ્યારે અમિત મિશ્રાએ 147 મેચમાં 157 વિકેટ ચટકાવી છે અને મલિંગાથી માત્ર 14 વિકેટ જ દૂર છે. જો આ સીઝનમાં અમિત મિશ્રા 14 વિકેટ ચટકાવી લે છે તો તેઓ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવનાર બોલર બની જશે.
અમિત મિશ્રા ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સના સ્પિનર કે પીયૂષ ચાવલા પણ મલિંગાનો રેકોર્ડ તોડવાની ફિરાકમાં છે. ચાવલાએ અત્યાર સુધી 157 મેચમાં 150 વિકેટ ચટકાવી છે. ચેન્નઈ સુપર કિંગ્સે પાછલા વર્ષે ડિસેમ્બરમાં આઈપીએલ 2020ની હરાજીમાં પીયૂષ ચાવલાને ખરીદવા માટે 6.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, અગાઉ તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા હતા. એવામાં મલિંગાના રેકોર્ડ તોડવા માટે પીયૂષ ચાવલાએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. તેમને 21 વિકેટની જરૂરત છે.
જણાવી દઈએ કે સીઝનની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ સાથે થશે. દુનિયાની સૌથી મોટી ટી20 લીગ આઈપીએલ આ વર્ષે દુબઈ, આબૂ ધાબી અને શારજાહમાં સંયુક્ત અરબ અમીરાતમાં ત્ણ સ્થળોએ રમાઈ રહી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
