IPL 2022 Mega Auction : આ 3 ટીમની નજર રહેશે એસ શ્રીસંત પર! લાગી શકે છે ઊંચી બોલી
IPL 2022 મેગા ઓક્શન ભારતીય દિગ્ગજ એસ શ્રીસંત માટે નસીબની ચાવી સાબિત થઈ શકે છે. કારણ કે, તે લાંબા સમયથી આ ટી20 લીગમાં વાપસી કરવા આતુર છે.
IPL 2022 Mega Auction : IPL 2022 મેગા ઓક્શન ભારતીય દિગ્ગજ એસ શ્રીસંત માટે નસીબની ચાવી સાબિત થઈ શકે છે. કારણ કે, તે લાંબા સમયથી આ ટી20 લીગમાં વાપસી કરવા આતુર છે.

શ્રીસંતની નજર આ 3 ટીમ પર રહેશે
એસ શ્રીસંતે IPL 2022 Mega Auction પૂલમાં પ્રવેશવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
ગયાવર્ષે પણ તેઓએ પ્રયાસ કર્યો હતો, પરંતુ પછી ખરીદદારો મળી શક્યા ન હતા. સ્પોટ ફિક્સિંગના આરોપોને પગલે શ્રીસંત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનીપુનરાગમનની આશાઓ હજૂ પણ જીવંત છે.
આ વર્ષે મોટા સ્તરે હરાજી ચાલી રહી છે, તેથી એવી અપેક્ષા છે કે, 3 ટીમ ચોક્કસપણે શ્રીસંત પર દાવ લગાવશે.

પંજાબ કિંગ્સ
72 કરોડ રૂપિયા સાથે પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ પાસે સૌથી મોટા પર્સનું કદ છે, તેથી તે વધુને વધુ ખેલાડીઓને સમાવી શકે છે, એસ શ્રીસંત પણ તેમાંથી એકબની શકે છે.
પંજાબ હંમેશા શ્રેષ્ઠ ઝડપી બોલરોની શોધમાં રહે છે. શક્ય છે કે, આ ફ્રેન્ચાઇઝી શ્રીસંતને શામેલ કરીને પ્રથમ વખત IPL ટાઇટલ જીતવાની આશા રાખેછે.

ચેન્નાઈ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સની સૌથી ખાસ વાત એ છે કે, આ ટીમમાં જૂના અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એસ શ્રીસંત આ ફ્રેન્ચાઇઝી માટેઘણી આશાઓ રાખી રહ્યો છે.
'યલો આર્મી'ના કેપ્ટન એમએસ ધોની સાથે 38 વર્ષીય ખેલાડીના સંબંધો સારા રહ્યા છે. જો માહી ઈચ્છે તો શ્રીસંતની આઈપીએલમાંવાપસીના દરવાજા ખૂલી શકે છે.

લખનઉ સુપર જાયન્ટ્સ
IPL 2022ની નવી ટીમ લખનઉ સુપરજાયન્ટ્સને એક અનુભવી ફાસ્ટ બોલરની જરૂર છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ રમી ચૂકેલા એસ શ્રીસંતને આફ્રેન્ચાઈઝીમાં તક મળી શકે છે.
આ ઉપરાંત જો આ ખેલાડીને લઈને કેટલીક ટીમોમાં બિડિંગ યુદ્ધ ફાટી નીકળે છે, તો કિંમત ખૂબ જ વધી શકે છે. હવે જોવાનું એ રહેશે કેશ્રીસંતનું નસીબ કેટલો સાથ આપે છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
