IPL 2023 : ઈડન ગાર્ડનમાં કોલકાતા - હૈદરાબાદ આમને સામને, KKRએ ટોસ જીત્યો, કરશે બોલિંગ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આજે ઈડન ગાર્ડન્સમાં સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH)નો સામનો કરશે. આ મેચમાં KKR એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહે ગુજરાત સામેની મેચના છેલ્લા પાંચ બોલમાં સિક્સર ફટકારીને KKRને અણધારી જીત અપાવી હતી. કોલકાતાના ચાહકો આજે ફરીથી તેની બેટિંગ જોવા માંગે છે અને શક્ય છે કે રિંકુને બેટિંગ ક્રમમાં થોડો ઊંચો પ્રમોટ કરવામાં આવે. રિંકુ પર પોતાની લય ચાલુ રાખવાનું દબાણ હશે, તેથી હૈદરાબાદની ટીમ આ આક્રમક બેટ્સમેનને લઈને ચિંતિત રહેશે.

એડન માર્કરામની આગેવાની હેઠળની સનરાઇઝર્સ પાસે હેરી બ્રુક, મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેન જેવા ખેલાડીઓ છે અને કાગળ પર મજબૂત દેખાય છે. સનરાઇઝર્સ પાસે મર્યાદિત ઓવરોના નિષ્ણાત ખેલાડીઓ છે પરંતુ તેઓ પ્રથમ બે મેચમાં અસર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેણે રાહુલ ત્રિપાઠીની અણનમ 74 રનની ઇનિંગ્સના આધારે છેલ્લી મેચમાં પંજાબને આઠ વિકેટે હરાવ્યું હતું. આ જીતથી ઉત્સાહિત થઈને બ્રાયન લારાના કોચવાળી સનરાઈઝર્સ ટીમ KKRને ટક્કર આપવા મેદાનમાં ઉતરશે. ત્રિપાઠી ફરીથી મધ્ય ઓવરોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જ્યારે સનરાઇઝર્સ બ્રુક અને ક્લાસેનના સારા યોગદાનની આશા રાખશે.
આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં જ્યારે રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ સામે થશે ત્યારે તેમની નજર આઈપીએલમાં જીતની હેટ્રિક પર રહેશે, KKRના તોફાની બેટ્સમેન રિંકુ સિંહના આગમનથી ટીમમાં ઉત્સાહની નવી લહેર દોડી ગઈ છે. આવી સ્થિતિમાં 14 એપ્રિલે રમાનારી મેચ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. બંને ટીમો આજની મેચ માટે તૈયાર છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું હતું, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં બે મેચમાંથી માત્ર એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે KKR ત્રણમાંથી બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.












Click it and Unblock the Notifications
