IPL 2023 LSG vs PBKS: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 21મી મેચ આજે (15 એપ્રિલ) લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે લખનૌ પ્રથમ બેટીંગ કરવા ઉતરશે.

લખનૌ અને પંજાબ વચ્ચેની મેચમાં રોમાંચક જંગ જોવા મળી શકે છે. કેએલ રાહુલની ટીમ છેલ્લી બે મેચથી અજેય છે. આવી સ્થિતિમાં તેમનો ઉત્સાહ વધારે છે. જ્યારે પંજાબની ટીમ સતત બે મેચ હારી છે. શિખર ધવનની ટીમ આ મેચ દ્વારા પુનરાગમન કરવા માંગશે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં લખનૌએ જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં તેણે દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું. જે બાદ તેને CSK સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ કેએલ રાહુલની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત મેળવીને જબરદસ્ત વાપસી કરી હતી.
બીજી તરફ પંજાબની ટીમે પણ પોતાની શરૂઆતની બંને મેચ જીતી હતી. પરંતુ બાદમાં ટીમ લય જાળવી શકી ન હતી, જેના કારણે તેને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
