IPL 2023: આગલી આઇપીએલ નહી રમે મહેન્દ્ર સિંહ ધોની? CSKના આ સભ્યએ આપી પ્રતિક્રીયા
હાલમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આ મારી અંતિમ તબક્કાની રમત છે. આ પછી એવી અટકળો લગાવવામાં આવી હતી કે ધોની આગળ રમવાનો નથી. આ તેની છેલ્લી IPL ટૂર્નામેન્ટ હશે. જોકે ધોનીએ સ્પષ્ટ કંઈ કહ્યું ન હતું.
એક જગ્યાએ ધોનીએ એમ પણ કહ્યું હતું કે જો હું અત્યારે મારી કારકિર્દી વિશે વાત કરું તો મારા કોચને મુશ્કેલી પડશે. આ નિવેદનમાંથી પણ ઘણા અર્થો લેવામાં આવ્યા હતા. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગનું નિવેદન આવ્યું છે. ધોનીની અંતિમ સિઝન પર ફ્લેમિંગે મોટી પ્રતિક્રિયા આપી છે.

પ્રેસ કોન્ફરન્સમાં ફ્લેમિંગે કહ્યું કે ધોનીએ ક્યાંયથી એવો સંકેત આપ્યો નથી કે આ છેલ્લી સિઝન છે. આ સિવાય ફ્લેમિંગે પંજાબ કિંગ્સ સામેની મેચમાં ચેન્નાઈની હારને લઈને પણ નિવેદન આપ્યું હતું. ફ્લેમિંગે પોતાની ટીમના બોલરોનો પણ બચાવ કર્યો હતો.
ચેન્નાઈના કોચે કહ્યું કે બોલિંગ ખરાબ નથી. તમારે તુષાર દેશપાંડે અને આકાશની બોલિંગ સ્વીકારવી પડશે. બોલિંગમાં કંઈ ખોટું નહોતું. બંને બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યા છે અને તે મુશ્કેલ કામ છે. વિકેટ પર તે એક અઘરું કાર્ય છે જે ઝાકળ હોય ત્યારે બેટિંગ માટે સારું છે.
Last over of the innings.@msdhoni on strike 💛, you know the rest 😎💥#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/xedD3LggIp
— IndianPremierLeague (@IPL) April 30, 2023
ફ્લેમિંગે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સે 200 રન બનાવ્યા અને તે સ્પર્ધાત્મક સ્કોર હતો. ચેન્નાઈની ટીમ આનાથી વધુ રન બનાવી શકી હોત. આ વખતે ઈમ્પેક્ટ પ્લેયરના આગમનથી રનની સંખ્યામાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. હું કહીશ કે ચેન્નાઈએ સારો સ્કોર બનાવ્યો.
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સે 200 રનનો સ્કોર બનાવ્યો હતો.
પંજાબે છેલ્લા બોલ પર આ સ્કોર હાંસલ કર્યો હતો. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ઘરે પંજાબ કિંગ્સના હાથે મોટો સ્કોર નોંધાવ્યા બાદ પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
