IPL 2023 SRH vs KKR: રાણા-રિંકુનો ચાલ્યો બલ્લો, હૈદરાબાદને મળ્યુ 172 રનનુ લક્ષ્ય
આજે IPL 2023ની 47મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને KKR ટીમો રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાઇ રહી છે. કોલકાતા નાઇટ રાઇઢર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. હૈદરાબાદે જીતવા માટે 172 રન બનાવવાના રહેશે.

કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ સાથે રિંકુ સિંહે 35 બોલમાં 46 રન તથા જેસન રોયે 19 બોલમાં 20 રન બનાવ્યા હતા. આંદ્રે રસેલે 15 બોલમાં 24 રન બનાવ્યા હતા.
હૈદરાબાદના બોલરોએ સારી બોલિંગ કરી હતી. માર્કો જેન્સન-ટી નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, એડન માર્કરમ અને મયંક માર્કંડેને 1-1-1-1 વિકેટ મળી હતી.
ઉલ્લેખનિય છેકે બંને ટીમોની સ્થિતિ કફોડી છે જ્યાં આઠમા ક્રમે આવેલી KKR 9 માંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે જ્યારે નવમા નંબર પર આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 8 માંથી 3 મેચ જીતી છે.
બંને ટીમોના 6-6 પોઈન્ટ છે અને આજની મેચ હારનાર માટે પ્લેઓફમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. ખાસ કરીને જો કોલકાતા નાઈટ રાઈડર્સ આજની મેચ હારી જશે તો તે પ્લેઓફનો રસ્તો ભૂલી જશે.












Click it and Unblock the Notifications
