IPL 2025 mega auction: IPL 2025માં આ ટીમ તરફથી રમી શકે છે રોહિત શર્મા, ફ્રેન્ચાઈઝી ખર્ચશે કરોડો
IPL 2025 mega auction, Rohit Sharma: રોહિત શર્મા આવતા વર્ષે નવી ટીમ માટે રમતા જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું.
IPL 2024માં તેનો શાનદાર રેકોર્ડ હોવા છતાં રોહિતને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જે બાદ રોહિત શર્માના મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થવાના સમાચાર આવવા લાગ્યા હતા.
ફેન ફોલોઈંગમાં જબરદસ્ત ઘટાડો - રોહિત શર્મા લાંબા સમયથી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, તેણે કેપ્ટન પદ પરથી અચાનક રાજીનામું આપવાથી, ફ્રેન્ચાઇઝીના ફેન ફોલોઇંગમાં ભારે ઘટાડો થયો છે. ગત સિઝનમાં ટીમ તેના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી.

દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ શકે છે રોહિત શર્મા - કોચ રિકી પોન્ટિંગની હકાલપટ્ટી બાદ દિલ્હી કેપિટલ્સ હાલમાં ઉથલપાથલનો સામનો કરી રહી છે. અહેવાલો અનુસાર, દિલ્હીની ટીમ કેપ્ટન ઋષભ પંતને છોડી શકે છે, જે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાશે તેવી અફવા છે.
MS ધોની IPL 2025માં નિવૃત્ત થઈ શકે છે. જો ઋષભ પંત દિલ્હી છોડીને ચેન્નાઈ જાય છે, તો રોહિત શર્મા કેપિટલ્સનું નેતૃત્વ કરવા માટે નવો કેપ્ટન બની શકે છે. રોહિતને ખરીદવા માટે દિલ્હીની ટીમ કરોડો રૂપિયા ખર્ચી શકે છે.
પંજાબ કિંગ્સ પણ રેસમાં સામેલ છે - પંજાબ કિંગ્સ તેની શરૂઆતથી જ આઈપીએલ ટૂર્નામેન્ટનો ભાગ છે, પરંતુ હજુ સુધી કોઈ ટ્રોફી જીતી શકી નથી. તેમને વારંવાર કેપ્ટન બદલવા સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
IPL 2024માં શિખર ધવન અને સેમ કુરાનની કેપ્ટનશીપ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી, જેના કારણે ટીમ સાત જીત અને સાત હાર સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. આવી સ્થિતિમાં તે શિખર ધવન અને સેમ કુરાનને છોડીને રોહિત શર્માને ખરીદવા માંગે છે.












Click it and Unblock the Notifications
