IPL Auction 2021: શું હોય છે કોર-ગ્રુપ, જાણો હરાજીના નિયમો
IPL Auction 2021: શું હોય છે કોર-ગ્રુપ, જાણો હરાજીના નિયમો
ક્રિકેટ ચાહકોને જેનો લાંબા સમયથી ઈંતેજાર હતો તે દિવસ આખરે આવી જ ગયો છે. આજે બપોર પછી 3 વાગ્યે ચેન્નઈમાં આઈપીએલ 2021ની હરાજી શરૂ થશે. કેટલાય દિગ્ગજોની સાથોસાથ યુવા સંભાવનાશીલ ખેલાડીઓ માટે પણ આ દિવસ વિશેષ છે. આ હરાજી સાથે જ આઈપીએલની 14મી સીઝનના દરવાજા ખુલી જશે અને થોડા સમય બાદ ટી20 લીગની તિલસ્મી દુનિયામાં 8 ટીમ પોતાનો જાદૂ વિખેરવાની હોડ લગાવશે.
જણાવી દઈએ કે આ મેગા હરાજી નથી પરંતુ તેનું પોતાનું એક મહત્વ છે. આગલા વર્ષે આપણને એક મેગા હરાજી જોવા મળી શકે છે. આજની હરાજીમાં પણ કેટલાય ખેલાડીઓની કિસ્મત પર દાવ લાગ્યો છે.

એક ટીમ મહત્તમ 25 ખેલાડીઓ લઈ શકે
ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 292 ખેલાડીઓ વચ્ચે પોતાનું સંયોજન ફીટ કરવાની કવાયદ હાથ ધરશે. જેમાં 164 ભારતીય, 125 ઓવરસીઝ ખેલાડી અને ત્રણ એસોસિએટ્સ નેશન્સના ખેલાડી છે.
આઈપીએલ 2021 માટે કુલ ઉપલબ્ધ સ્લૉટ 61 છે જેમાં ઓવરસીઝ ખેલાડીઓ માટે 22 સ્લૉટ બુક છે. એક ટીમ મહત્તમ 25 ખેલાડીઓને લઈ શકે છે.

કોર-ગ્રુપ અને હરાજી માટે નિયમ
આઈપીએલ હરાજીનો બીજો નિયમ કહે છે કે કોઈપણ ટીમ પોતાના ઉપલબ્ધ પર્સથી વધુની ખરીદી ના કરી શકે. સાથે જ તેમને ઉપલબ્ધ પર્સથી 75 ટકા ખર્ચ કરવાના હોય છે. એક ટીમ પાસે મહત્તમ 8 ઓવરસીઝ ખેલાડી હોય શકે છે અને 17 ભારતીય ખેલાડી. આ ટીમ જ્યારે પ્લેઈંગ ઈલેવન બનાવે છે તો 7 ભારતીય ખેલાડી હોય છે અને 4 ઓવરસીઝ.
આઈપીએલમાં ટીમ પોતાની સેટ કોર ગ્રુપને લઈને ચાલે છે. આ ગ્રુપ કેપ્ટન, કોચ ઉપરાંત ટીમના સ્થાયી ખેલાડીઓથી બને છે. આ કોર ગ્રુપ ના માત્ર ટીમની ઓળખાણ હોય ચે બલકે એક સમૂહ તરીકે કેટલાય મહત્વના ફેસલા લે છે. કોર ગ્રુપ મેમ્બર કોઈપણ પ્રતિભાશાળી ખેલાડી હોય શકે છે જે ટીમ માટે સતત પ્રદર્શન કરી રહ્યો હોય અને તે કોઈ યુવા પણ હોય શકે છે. જેમ કે અત્યારે શુભમન ગિલ કેકેઆરના કોર ગ્રુપમાં સામેલ થઈ ગયો છે. ડેવિડ વોર્નર, દિનેશ કાર્તિક, કેએલ રાહુલ ક્રમશઃ સનરાઈઝર્સ હૈદરાબાદ, કેકેઆર, પંજાબ કિંગ્સના કોર ગ્રુપનો ભાગ છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્મા, પાંડ્યા બંધુ, કિરોન પોલાર્ડ અને જસપ્રીત બુમરાહ આ ગ્રુપ બનાવે છે.

ત્રણ મોટી બેસ પ્રાઈઝ
આઈપીએલ હરાજીની સૌથી મોટી બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. સૌથી નાની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હોય છે.
2 કરોડ રૂપિયાઃ હરભજન સિંહ, કેદાર જાદવ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોઈન અલી, સૈમ બિલિંગ્સ, લિયા પ્લંકેટ, જેસન રૉય અને માર્ક વુડ.
1.5 કરોડ રૂપિયાઃ એલેક્સ હેલ્સ, એલેક્સ કૈરી, ડેવિડ માલન, મોર્ને મોર્કલ, ગ્રેગરી લુઈસ, ડેવિડ વિલી, ટૉમ કુરેન, શૉન માર્શ, આદિલ રાશિદ, મુજીબ ઉર રહમાન, જે રિચર્ડસન અને નાથન કૂલ્ટર નાઈલ.
1 કરોડ રૂપિયાઃ હનુમા વિહારી, ઉમેશ યાદવ, એરોન ફિંચ, એવિન લુઈસ, શેલ્ડન કૉટરેલ, મુસ્તાફિજુર રહમાન, મોઈસેસ હેનરિક્સ, મારનસ લાબુસ્ચગને, જેસન બેહરેનડોર્ફ, બિલી સ્ટાનલેક, મૈથ્યૂ વેડ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
