Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જગમોહન ડાલમિયાનું BCCIના અધ્યક્ષ તરીકે પુનરાગમ

મુંબઇ, 2 માર્ચ: એક મોટા સમાચાર બીસીસીઆઇમાંથી આવી રહ્યા છે, જ્યાં જગમોહન ડાલમિયાને એકવાર ફરીથી બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે, તેઓ નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા છે. એન શ્રીનિવાસન પર સુપ્રીમ કોર્ટના બેન બાદ એ જ ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે ડાલમિયાને જ બીસીસીઆઇની ખુરશી સોંપાઇ શકે છે. કારણ કે શ્રીનિવાસન ઇચ્છતા હતા કે આ ખુરશી પર એ લોકો જ બેસે જે તેમનું વિશ્વાસપાત્ર હોય અને ડાલમિયા, શ્રીનિવાસનના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.

નોંધનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયના ગુરુવારને આઇપીએલ સટ્ટેબાજી અને સ્પોટ ફિક્સિંગ મામલામાં મહત્વનો નિર્ણય સંભળાવતા શ્રીનિવાસનને 'હિતોના ટકરાવ'ની સ્થિતિમાં રહેતા બીસીસીઆઇ ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

ડાલમિયાના વશમાં જે રહેશે, તે તેઓ કરશે

ડાલમિયાના વશમાં જે રહેશે, તે તેઓ કરશે

ચૂંટણીના ઠીક પહેલા ડાલમિયાએ પણ સંકેત આપી દીધા હતા કે તેઓ પણ આ ચૂંટણી માટે મેંટલી પ્રીપેર છે કારણ કે તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્રિકેટને હંમેશા પોતાનું સકારાત્મક યોગદાન આપવા માટે તૈયાર રહે છે. જો ડાલમિયાની ખોટ અનુભવાશે તો ડાલમિયાનું જે વિશ્વાસપાત્ર રહેશે, તે એ કામ કરશે.

ડાલમિયા પાછા ફર્યા

ડાલમિયા પાછા ફર્યા

ડાલમિયા ક્રિકેટ સાથે જોડાયેલ હસ્તી છે અને તેમનું અને બીસીસીઆઇનો સંબંધ ખૂબ જ જૂનો છે. નોંધનીય છે કે ડાલમિયા ઇસ્ટ જ્હોનના બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ છે અને નિયમ અનુસાર આ વખતે ઇસ્ટ ઝોનથી બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે ચૂંટવાના હતા એટલા માટે ડાલમિયાને આ બેઠક મળી ગઇ.

ડાલમિયા 1979માં તેઓ બીસીસીઆઇમાં આવ્યા

ડાલમિયા 1979માં તેઓ બીસીસીઆઇમાં આવ્યા

ડાલમિયા 1979માં તેઓ બીસીસીઆઇમાં આવ્યા અને 1983માં તેઓ બોર્ડના કોષાધ્યક્ષ બન્યા. બોર્ડ અધ્યક્ષ આઇએસ બિંદ્રાની સાથે મળીને તેમને 1987અને 1996માં વર્લ્ડકપ આયોજનને ભારત લાવવાનો શ્રેય જાય છે એટલા માટે તેમને મીડિયામાં કાયા-કલ્પ પુરુષ કહેવામાં આવે છે.

શ્રીનિવાસનનું ઋણ ચૂકવ્યુ

શ્રીનિવાસનનું ઋણ ચૂકવ્યુ

ડાલમિયા આ પહેલા 2001થી 2004 સુધી બીસીસીઆઇના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ પહેલા 1997માં તેઓ ત્રણ વર્ષ માટે ઇંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલના અધ્યક્ષ પણ રહ્યા. 2004માં બીસીસીઆઇ હટાવવામાં આવ્યા બાદ એન શ્રીનિવાસને 2007માં તેમની ક્રિકેટની દુનિયામાં પુનરાગમ થયું, એટલા માટે જ્યારે શ્રીનિવાસનને બીસીસીઆઇ અધ્યક્ષ પદનું કામ છોડવું પડ્યું તો તેમના સ્થાને વચગાળાની જવાબદારી સંભાળવા માટે જગમોહન ડાલમિયા જ સામે આવ્યા અને પોતાનું ઋણ ચૂકવ્યું.

વિવાદોના ઘેરામાં

વિવાદોના ઘેરામાં

ડાલમિયાના નામ પર ખૂબ જ વિવાદ પણ રહ્યા, તેમની પર આર્થિક ગડબડો અને છેતરપીંડિનો આરોપ લાગ્યો હતો. જેના કારણે તેમને બીસીસીઆઇ અધ્યક્ષનું પદ છોડવું પડ્યું હતું, પરંતુ બાદમાં તેઓ તમામ મામલાઓમાં બાઇજ્જત મુક્ત થઇ ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X