K શ્રીકાંતે BCCIને કર્યો સવાલ- રિષભ પંતને બહાર કરશો કે આપશો બ્રેક
રેડ બોલ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરનાર રિષભ પંત સફેદ બોલનીમાં સતત ફ્લોપ રહ્યો છે. શોર્ટ ફોર્મેટમાં તેની રમત ઘણી ખરાબ રહી છે. ઘણી તકો મળ્યા બાદ પણ રિષભ પંત અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. ટીમમાં તેના સ્થાન પર પણ સવાલો ઉઠી
રેડ બોલ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરનાર રિષભ પંત સફેદ બોલનીમાં સતત ફ્લોપ રહ્યો છે. શોર્ટ ફોર્મેટમાં તેની રમત ઘણી ખરાબ રહી છે. ઘણી તકો મળ્યા બાદ પણ રિષભ પંત અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. ટીમમાં તેના સ્થાન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સંજુ સેમસન પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી. એકંદરે રિષભ પંતના સિતારા અંધારામાં ચાલી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી કૃષ્ણમાચારી શ્રીકાંતે રિષભ પંતને બ્રેક આપવાની સલાહ આપી છે.

એક ઇન્ટરવ્યુમાં શ્રીકાંતે કહી આ વાત
'ચીકી ચીકા' યુટ્યુબ ચેનલ પરની વાતચીતમાં શ્રીકાંતે કહ્યું કે પંતને બ્રેક આપવો જોઈએ અને કમબેક માટે કરો અને ટીમ માટે રમવાનું કહી શકાય છે. શ્રીકાંતે મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પંતને સારી રીતે હેન્ડલ કરવામાં આવ્યો નથી. શું તમે પંતને થોડી મેચો પછી બ્રેક આપવા માંગો છો કે પછી એક કે બે મેચ બાદ તેને ટીમમાંથી ડ્રોપ કરવા માંગો છો? હું ખૂબ જ નિરાશ છું કારણ કે રિષભ પંત તેને મળેલી તમામ તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યો છે.

લોકો પણ કરી રહ્યાં છે ટાર્ગેટ
શ્રીકાંતે કહ્યું કે આવતા વર્ષે વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે. પહેલાથી જ ઘણા લોકો કહી રહ્યા છે કે પંત સ્કોર નથી કરી રહ્યો. આ આગમાં બળતણ ઉમેરવાનું કાર્ય છે. તે પોતે દબાણમાં આવી રહ્યો છે. પંતે કંઈક અલગ કરીને ફરીથી બહાર ઊભા રહેવું પડશે અને ટીમ માટે રમવું પડશે. તે દરેક વખતે પોતાની વિકેટ ગુમાવીને જતો રહે છે. રિષભ પંતે આનાથી બચવુ જોઇએ.

પંતને મળ્યા ઘણા મોકા
ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં રિષભ પંતને ઘણી જગ્યાએ રમવાની તક મળી છે. તે ઓપનર તરીકે પાંચમાં નંબરથી ટોપ સુધી રમ્યો છે. તેને ન્યૂઝીલેન્ડમાં ઓપનિંગ કરવાની તક મળી હતી પરંતુ તે આ તકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. પંતની દરેક ફ્લોપ ઈનિંગ્સ પછી સંજુ સેમસનને કાયમી ધોરણે ટીમમાં રાખવાની માંગ જોર પકડે છે. આગામી સમયમાં ઋષભ પંત વિશે પસંદગીકારો શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
