KKR Vs CSK: વાનખેડેમાં ચેન્નાઇએ કર્યો રનનો વરસાદ, કોલકાતાને 221 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 15 મી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતા તરફથી કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીં કરતા ચેન્નાઇ સુપ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 15 મી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતા તરફથી કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીં કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 220 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા સીએસકે ટીમ ઋતુરાજ ગાયકવાડ (64), ફાફ ડુપ્લેસિસ (અણનમ 95) શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી. ગાયકવાડે 42 બોલમાં છ ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા જ્યારે ફાફ ડુપ્લેસિસે 60 બોલમાં 9 ચોગ્ગા 4 સિક્સર ફટકારી હતી. મોઇન અલીએ પણ 12 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 25 રનનું યોગદાન આપ્યું હતું.
આ દરમિયાન કેપ્ટન એમએસ ધોનીએ પણ 8 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા અને જાડેજાએ એક બોલમાં છગ્ગો ફટકાર્યો હતો. આ મેચમાં ધોનીએ સુનીલ નરેન સામે છેલ્લા ચાર ચોગ્ગા લગાવ્યા હતો અને આઈપીએલ કારકિર્દીમાં તેની સામે પ્રથમ ચોગ્ગો ફટકાર્યો હતો. કોલકાતા તરફથી વરૂણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને આંદ્રે રસેલે એક-એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: KKR Vs CSK: કોલકાતાએ ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, ચેન્નાઇ કરશે બેટીંગ
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
