KKR vs SRH: કોલકાતા-હૈદરાબાદ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો કેવી હશે પ્લેઇંગ 11, જાણો કોને મળશે મોકો
IPLની 16મી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ત્રણમાંથી બે મેચ જીતીને શાનદાર પ્રદર્શન સાથે શરૂઆત કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચ જીતીને પુનરાગમન કર્યું છે. કોલકાતાએ અત્યાર સુધી તેની ત્રણમાંથી બે મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદ તેની ત્રણ મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહી છે.

આજની મેચમાં સુકાની એડન માર્કરામની આગેવાની હેઠળની સનરાઈઝર્સ ટીમ હેરી બ્રુક, મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેનની હાજરીમાં મેચ જીતવાના તમામ પ્રયાસો કરશે. હૈદરાબાદ અને કોલકાતાની ટીમ વચ્ચે આઈપીએલમાં કુલ 23 મેચ રમાઈ છે, જેમાંથી કોલકાતાએ 15 મેચ જીતી છે અને હૈદરાબાદને 8 મેચ જીતવાની તક મળી છે.
બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આજે 14મી એપ્રિલે આઈપીએલ 2023ની 19મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની યજમાની કરશે. પંજાબ કિંગ્સ સામે પ્રથમ મેચ હાર્યા બાદ KKR સારી સ્થિતિમાં છે. પહેલા તેઓએ ઘરઆંગણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું અને પછી રિંકુ સિંહની ધમાકેદાર બેટિંગના જોરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને હરાવ્યું.
ઓરેન્જ આર્મી તેમની પ્રથમ બે મેચ હારી ગઈ હતી - પ્રથમ રાજસ્થાન રોયલ્સ સામે અને પછી લખનૌ સુપર જાયન્ટ્સ સામે, પરંતુ ઘરઆંગણે પંજાબ કિંગ્સ સામે મજબૂત વાપસી કરી હતી. બંને ટીમો જીતનો સિલસિલો જારી રાખવા માંગે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ 11: એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સેન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને ઉમરાન મલિક.
કોલકાતા નાઈટ રાઈડર્સ પોસિબલ પ્લેઈંગ 11: નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), વેંકટેશ ઐયર, એન જગદીસન, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી.












Click it and Unblock the Notifications
