કાયમ માટે ભારત છોડવા જઈ રહ્યાં છે કોહલી-અનુષ્કા? જાણો કેમ શરૂ થઈ અટકળો?
ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી સીધો લંડન રવાના થયો છે. આ સમાચાર બાદ અહેવાલો છે કે કોહલી તેની પત્ની અને બાળકો સાથે ભારત છોડવા જઈ રહ્યો છે.
ભારતીય ટીમની વિજય પરેડ બાદ વિરાટ કોહલી સીધો લંડન પત્ની અનુષ્કા શર્માને મળવા પહોંચ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટર કોહલી અને અનુષ્કા શર્મા દેશ છોડીને બહાર સ્થાયી થવાની યોજના બનાવી રહ્યા છે.

સમાચાર છે કે, બંને હવે કાયમ માટે લંડન શિફ્ટ થઈ ગયા છે અને ભારતમાં રહેવાની કોઈ યોજના નથી પરંતુ સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.
કોહલી અને અનુષ્કા હવે ભારતમાં નહીં રહે કે કેમ તે અંગે કશું જ નક્કર જાહેર કરવામાં આવ્યું નથી. જો કે એ વાત સાચી છે કે બંને હાલમાં લંડનમાં છે. તેમના પુત્રનો જન્મ પણ ત્યાં થયો હતો પરંતુ ત્યાં સ્થાયી થવાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા નથી આપી.
દાવા કરવામાં આવી રહ્યા છે કે કોહલીએ લંડનમાં પોતાનું ઘર પણ ખરીદ્યું છે. ભારતમાં તેની ઘણી મિલકત છે. અનુષ્કા શર્મા તેના પુત્ર અકાયના જન્મ પહેલા જ લંડન જતી રહી હતી. પુત્રના જન્મ સમયે કોહલીએ ટીમમાંથી બ્રેક લીધો હતો અને લંડન ગયો હતો. બંનેએ ત્યાં રહેવાની યોજના બનાવી છે કે ઘર ખરીદ્યું છે તે અંગે સત્ય બહાર આવ્યું નથી.
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ કોહલીએ અનુષ્કા શર્માને ફોન કર્યો હતો. બંનેએ વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. અનુષ્કા શર્મા ત્યાં નહોતી ગઈ કારણ કે તેનો પુત્ર હજુ નાનો છે.












Click it and Unblock the Notifications
