‘ધોનીએ છોડી કેપ્ટનશીપ' - કેમ બન્યા આ બ્રેકિંગ ન્યૂઝ?
ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલે છેલ્લા 12 વર્ષોમાં ભારતની ક્રિકેટ ટીમને એ એવોર્ડ, સમ્માન અને જીત અપાવ્યા છે જે તેમની પહેલા કોઇએ નહોતા અપાવ્યા...
ટીમ ઇંડિયાના સૌથી પ્રિય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સમાચાર દરેક મીડિયા ચેનલ, અખબાર, વેબસાઇટના બ્રેકિંગ ન્યૂઝ છે. જે દેશમાં ક્રિકેટ માત્ર એક રમત નહિ પરંતુ ધર્મ છે તે રમતનો કેપ્ટન જો પોતાની સીટ છોડી દે તો તે એક મોટા સમાચાર જ બને છે. પરંતુ શું ધોનીની કેપ્ટનશીપના સમાચાર મોટા હોવા માટે માત્ર આ એક જ કારણ છે. જી ના. આની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ધોનીની કેપ્ટનશીપ છોડવી એટલા માટે મોટી વાત છે કારણકે ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલે છેલ્લા 12 વર્ષોમાં ભારતની ક્રિકેટ ટીમને જે એવોર્ડ, સમ્માન અને જીત અપાવ્યા છે એ તેમના પહેલા કોઇ નથી અપાવી શક્યુ.

કપિલ દેવ અને સૌરવ ગાંગુલી સફળ કેપ્ટન
કપિલ દેવ જેવા હીરાએ 'મેન ઇન બ્લૂ' ને પહેલી વાર વિશ્વવિજેતા બનાવ્યા હતા. વળી બંગાળ ટાઇગરના નામથી પ્રખ્યાત સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે સફળતાની નવી ઉંચાઇઓ સર કરી હતી. પરંતુ આ બંનેથી પરે કેપ્ટનશીપ મામલે મહેન્દ્ર સિંહ ધોની ઘણા આગળ છે. આ વાતનો કપિલ અને ગાંગુલી બંને પણ સ્વીકાર કરે છે કારણકે માહીની કેપ્ટનશીપમાં ભારત બે વાર અલગ અલગ ફોર્મેટમાં વિશ્વવિજેતા બન્યુ છે.

આઇસીસીના બધા આયોજનોમાં ટીમને જીત અપાવી
એટલુ જ નહિ, ધોની ભારતના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે આઇસીસીના બધા આયોજનોમાં ટીમને જીત અપાવી છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે 2007 માં ટી-20 વિશ્વ કપ અને 2011 માં 50 ઓવરોના વિશ્વકપનો ખિતાબ મેળવીને ઇતિહાસ રચ્યો અને 2013 માં ચેમ્પિયંસ ટ્રોફી પર પણ કબ્જો જમાવ્યો.

પહેલી વાર ટેસ્ટમાં નંબર 1 ની ખુરશી
ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇંડિયાએ પહેલી વાર ટેસ્ટમાં નંબર 1 નું સ્થાન મેળવ્યુ. તેમણે કુલ 199 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યુ.

સર્વશ્રેષ્ઠ ફિનિશર
દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશર મનાતા ધોની ઉર્ફે માહીએ ટીમની કેપ્ટનશીપ હેઠળ કુલ 110 મેચોમાં જીત અપાવી જ્યારે 74 મુકાબલામાં તેમને હાર મળી. 4 મુકાબલામાં ટાઇ અને 11 મેચોનું કોઇ પરિણામ ન આવ્યુ.

બેટ્સમેન તરીકે ધોની ખૂબ સફળ
કેપ્ટનશીપ હેઠળ એક બેટ્સમેન તરીકે પણ ધોની ખૂબ સફળ રહ્યા. તેમણે કેપ્ટનશીપ હેઠળ એક દિવસીય મેચમાં 54 ની સરેરાશ અને 86 ની સ્ટ્રાઇક રેટથી 6,683 રન બનાવ્યા. નંબર 7 પર બેટિંગ કરતા તેમણે ઘણી વાર ભારતને સંકટમાંથી બચાવ્યુ છે. ધોનીએ 72 ટી-20 મેચોમાં ટીમની કમાન સંભાળી અને ટીમને 41 જીત અપાવી અને 28 હારનો સામનો કર્યો. એક મેચમાં ટાઇ અને બે મેચોનું પરિણામ ન આવ્યુ.

જાદુઇ કેપ્ટન
ધોનીને ક્રિકેટના ઇતિહાસમાં જાદુઇ કેપ્ટન કહેવામાં આવે છે. ધોનીને પહેલી વાર કેપ્ટનની જવાબદારી 2007 માં આપવામાં આવી હતી. તેમની પહેલી પરિક્ષા ઘણી જ મુશ્કેલ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) એ પહેલી વાર ટી-20 વિશ્વકપ કરાવવાનો નિર્ણય કર્યો હતો. આ વિશ્વકપથી પોતાની કેપ્ટનશીપની શરુઆત કરી અને ભારતને વિજેતા બનાવીને ભારત પાછા ફર્યા.

સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી
તે ટી-20 મેચોમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી છે. ટી-20 માં કેપ્ટનશીપ હેઠળ તેમણે 122.60 ની સ્ટ્રાઇક રેટથી 1112 રન બનાવ્યા. ટી-20 માં તે અર્ધસદી લગાવ્યા બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. ટી-20 માં તેમનો સૌથી વધુ સ્કોર અણનમ 48 છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
