MI vs RCB : મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો, બોલિંગ કરવાનો નિર્ણય
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલા આઈપીએલના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે તેની બીજી જીત માટે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ આરસીબી આગળના મુકાબલાની હારને ભુલીને જીતવા મેદાને ઉતરશે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લસ પોઈન્ટ એ છે કે આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં છે, જ્યાં ગઈ મેચમાં મુંબઈનો વિજય થયો હતો. આરસીબીની ટીમ પણ આ સિઝનમાં અત્યાર સુધી કંઈ ખાસ કરી શકી નથી.
આરસીબીને નિયમિત અંતરાલ પર હારનો સામનો કરવો પડ્યો છે, આરસીબીએ અત્યાર સુધી માત્ર એક જ જીત નોંધાવી છે. બંને ટીમો આજે તેમની બીજી જીતની શોધમાં છે.
વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ છે. પિચ બોલરોને વધારે મદદ કરતી નથી. નાની બાઉન્ડ્રીનો ફાયદો માત્ર બેટ્સમેનોને જ મળે છે. મુંબઈ અને આરસીબી બંને પોઈન્ટ ટેબલમાં પોતાને થોડી મજબૂત કરવાનો પ્રયાસ કરશે.












Click it and Unblock the Notifications
