'મને નથી લાગતું કે હું રમીશ, પણ હંમેશા CSK માટે તૈયાર છું' નિવૃત્તિના સવાલ પર ધોનીએ તોડ્યું મૌન
MS Dhoni, IPL Retirement: MS ધોની ક્રિકેટ જગતમાં એક ખૂબ જ ગૂંજતું નામ છે. તેમનું ફેન બેઝ ખૂબજ વિશાળ છે. તેઓએ પોતાની રમતની કળાથી સૌના દિલ જીત્યા છે. MS ધોનીને મેચ વિનિગ પ્લેયર તરીકે ઉપમા મળી છે. તેઓએ ભારત વર્લ્ડ કપ MS ધોનીની કેપ્ટનશિપ હેઠળ જીત્યો હતો. તેઓએ ઘણા વર્ષો પેહલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

પરંતુ IPLમાં તેઓ હજુ પણ CSK તરફથી રમી રહ્યા છે. આમ તો ધોનીની નિવૃતિ ખૂબજ મોટો ચર્ચાનો વિષય છે. તે અંગે અનેકો અટકળો ફેલાતી હોય છે. પર્ણતુ એક કાર્યક્રમમાં જ ધોનીએ પોતાની નિવૃતિ અને CSKને લઈને વાત કરી હતી. જેનાથી ઘણી અટકળોનો અંત આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે ધોનીએ શું કહ્યું.
જો હું રમવાનું બંધ કરી દઉં, તો પણ હું CSK સાથે રહીશ
IPLની સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે. તેની શરૂઆત ધોનીની આગેવાની હેઠળ થઈ હતી. અત્યાર સુધી CSKએ 5 ટ્રોફી જીતી છે. પરંતુ ધોનીએ ઘણા સમય પેહલા જ તેમની કેપ્ટનશિપ મૂકી દીધી છે. ગયા સિઝનમાં CSKના કેપ્ટન તરીકે રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપનાર ધોનીએ કહ્યું હતું કે,તે કદાચ હવે લાંબા સમય સુધી નહીં રમે, પરંતુ તે હંમેશા ટીમ સાથે રહેશે. તેણે કહ્યું, 'હું અને CSK, અમે સાથે છીએ. મને આશા છે કે તેઓ એવું નહીં વિચારે કે હું 15-20 વર્ષ સુધી રમીશ.'ધોનીએ સ્પષ્ટ કર્યું કે તેના રમવાના દિવસો ગણતરીના છે, પરંતુ તે હંમેશા CSK પરિવારનો ભાગ રહેશે. તેણે કહ્યું, આ એક કે બે વર્ષની વાત નથી. હું હંમેશા પીળી જર્સીમાં રહીશ.












Click it and Unblock the Notifications
